મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.) ના જસાપર ગામે ઘર પાસે ટ્રેક્ટર રાખવા બાબતે છોરીયા વડે હુમલો


SHARE











મોરબી : માળીયા(મિં.) ના જસાપર ગામે ઘર પાસે ટ્રેક્ટર રાખવા બાબતે છોરીયા વડે હુમલો

મોરબી જિલ્લામાં મારામારીના બનાવો અનહદ રીતે વધી ગયા હોય તે રીતે છાશવારે મારામારીના બનાવો બની રહ્યા છે.જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે.મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘરની પાસે ટ્રેક્ટર પાર્ક કરેલું હોય તે બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે વાતનું મનદુઃખ અને રોષ રાખીને ગાળો આપ્યા બાદ જમીન ખોદવાના છોરીયા વડે ઘા મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઢિકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ઇજાગ્રસ્ત થયેલા સુરેશભાઈ હરિભાઈ ડાંગર જાતે આહીર (ઉમર ૬૦) રહે.જસાપર તા.માળીયા મીયાણા વાળાને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ સુરેશભાઈ આહીર દ્વારા જસાપર ગામના જ મનવીર સવાભાઈ કાનગડ અને સવાભાઈ ભુરાભાઈ કાનગડ વિરુદ્ધ માળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં આર.એમ.ગરચર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બાળકનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના ખોડીયારપરા વિસ્તારમાં રહેતો રોહિત સુખાભાઈ પાટડીયા જાતે કોળી નામનો ૧૩ વર્ષનો બાળક સુરજબારી પાસે આવેલ આઝાદ સોલ્ટ નજીક હતો ત્યાં અકસ્માતે વરસાદી વીજળી ત્રાટકતા અને તેના ઉપર પડતા રોહિત કોળી નામના ૧૩ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું અને તેની સાથે રહેલા રમેશભાઈ મહાદેવભાઈ પરસોંડા (૨૫) રહે.લખધીરપુર રોડને ઇજાઓ પહોંચતા તેમને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

લાતી પ્લોટ પાસે પૈસાની લેતીદેતીમાં મારામારી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પૈસાની લેતીદેતીના બનાવમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સબીર કાસમ કાસમાણી મેમણ રહે.લાતી પ્લોટ જોન્સનગર, અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોળ મિંયાણા રહે.જોન્સનગર અને સાજીદ મહેબૂબ સુમરા સંધિ (૧૯) રહે.લાતી પ્લોટને ઇજાઓ પહોંચતા સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૈસાની દેતીદેતીમાં અલ્તાફને સાજીદ દ્વારા માર મારવામાં આવતો હોય વચ્ચે પડતા સબીર ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હાલ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News