મોરબીની અવની ચોકડીએ રજૂઆત બાદ પણ વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન યથાવત, લોકોમાં રોષ
SHARE
મોરબીની અવની ચોકડીએ રજૂઆત બાદ પણ વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન યથાવત, લોકોમાં રોષ
મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલા અવની ચોકડીએ છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો નિકાલ ન હોવાના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે. થોડા સમય પહેલા પણ થોડા અમથા વરસાદમાં બે દિવસ સુધી વરસાદી પાણી ભરાઈ રહ્યા હોય લોકોએ કલેક્ટર કચેરીએ દેખાવ કર્યા હતા અને ત્યારબાદ તેઓને રાબેતા મુજબ આશ્વાસન આપવામાં આવ્યું હતું જો કે કામ થયું ન હોય અને ગઈકાલે વધુ એક વખત વરસાદ આવતા વરસાદ રહી ગયાના કલાકો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય અકડાયેલા અવની ચોકડીના રહેવાસીઓમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.
મોરબી કેનાલ રોડ ઉપર આવેલી અવની ચોકડી ઉપર વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી.મોરબી નગરપાલિકા, તંત્ર અને ચુંટાયેલા સભ્યોની મીલીભગતને કારણે પ્રજા પીસાઈ રહી છે.નગર પાલિકામાં લોકોએ એક તરફી બીજેપીને વોટ આપ્યા પછી પણ પ્રજાને આ મુશ્કેલી રૂપી ભેટ મળી રહી છે.સમગ્ર મોરબીમાં ખાડા નહિ પણ ખાડા અને પાણીમાં મોરબી તેવો ઘાટ છે.નીંભર તંત્ર અને નીંભર ચૂંટાયેલ સભ્યોના ભ્રષ્ટાચારને કારણે મોરબી શહેર નર્ક સમાન બની ગયું છે.કારણ કે વરસાદ બંધ પડ્યા પછી પંદર કલાક બાદ પણ ઢીંચણ સમા પાણીનું વહેણ ચાલુ છે.તેવુ ત્યાંના રહેવાસી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા સહીતના સ્થાનીકો રોષપુર્વક જણાવી રહ્યા છે.