ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના આશાપુરા મિત્રમંડળ દ્વારા સતત ૨૧ મા વર્ષે ભુજ નજીક પધ્ધર ગામે યોજાશે પદયાત્રીકો માટે સેવા કેમ્પ


SHARE













મોરબીના આશાપુરા મિત્રમંડળ દ્વારા સતત ૨૧ મા વર્ષે ભુજ નજીક પધ્ધર ગામે યોજાશે પદયાત્રીકો માટે સેવા કેમ્પ

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આશાપુરા માતાના મઢ ખાતે આગામી નવરાત્રીને લઈને સમગ્ર ભારતવર્ષમાંથી પદયાત્રીઓનો પ્રવાહ આવી રહ્યો છે ત્યારે જુદા જુદા સંગઠનો અને મંડળો દ્વારા પદયાત્રીકોની સેવા કરવા માટે જુદી જુદી જગ્યાઓએ સેવા કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે જેમાં આશાપુરાના ધામ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સહીતની સુવિધાઓ મળી રહેતી હોય છે.તેમાં મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પણ સતત ૨૧ મા વર્ષે સેવા કેમ્પનુ આયોજન કરાયુ છે.આગામી તા.૨૦-૯ થી તા.૨૫-૯ સુધી પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહીતી મુજબ આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે ત્યાં કેમ્પ યોજવામાં આવે છે અને આ વર્ષે પણ તા.૨૦-૯ થી તા.૨૫-૯ સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આશાપુરા મિત્ર મંડળ દ્વારા ભુજથી ૧૩ કિલોમીટર દુધઈ રોડ ઉપર કંઢેરાયના પાટીયા પાસે પધ્ધર ગામની બાજુમાં સેવા કેમ્પ યોજવામાં આવ્યો છે.જેમાં પદયાત્રીકોને ૨૪ કલાક રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભાડીયા (મો.૯૯૧૩૦ ૫૨૩૩૦), પ્રફુલભાઈ પાટડિયા (મો.૯૮૭૯૨ ૭૧૭૯૩), મનુભાઈ બરાસરા (મનુકાકા) (મો.૯૮૭૯૧ ૭૫૨૭૭), હિમાંશુભાઈ પારેખ (મો.૮૧૬૦૯ ૫૭૯૩૯) અથવા પારસભાઈ પટેલ (મો.૯૮૯૮૧ ૫૨૮૬૭) નો સંપર્ક કરવા આશાપુરા મિત્રમંડળે યાદીમાં જણાવેલ છે.

સૂરજબારી પુલ પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર(મોરબી) દ્વારા કેમ્પનું આયોજન

કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે મોરબીના યુવાનો દ્વારા એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સતત ૨૦૧૨ થી આ ગ્રુપ સેવાના કર્યો કરે છે. આ કેમ્પ ઉપક્રમે તા.૧૭-૯ થી તા.૨૦-૯ સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે.આ કેમ્પમાં ૨૪ કલાક ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે ખાસ કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે સાથે નહાવા-ધોવાની પણ વ્યવસ્થા કરેલી છે.કેમ્પ સૂરજબારી પુલ પહેલાં, પોલીસ ચેક પોસ્ટ પાછળ, મોરબી- માળીયા  હાઇવે, જી.મોરબી ખાતે યોજાશે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૯૭૯૦ ૫૦૦૦૦, ૯૮૭૯૩ ૭૬૦૩૩, ૯૮૨૫૨ ૧૭૭૧૦ અથવા ૯૦૩૩૩ ૪૫૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News