મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આશાપુરા મિત્રમંડળ દ્વારા સતત ૨૧ મા વર્ષે ભુજ નજીક પધ્ધર ગામે યોજાશે પદયાત્રીકો માટે સેવા કેમ્પ


SHARE







મોરબીના આશાપુરા મિત્રમંડળ દ્વારા સતત ૨૧ મા વર્ષે ભુજ નજીક પધ્ધર ગામે યોજાશે પદયાત્રીકો માટે સેવા કેમ્પ

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આશાપુરા માતાના મઢ ખાતે આગામી નવરાત્રીને લઈને સમગ્ર ભારતવર્ષમાંથી પદયાત્રીઓનો પ્રવાહ આવી રહ્યો છે ત્યારે જુદા જુદા સંગઠનો અને મંડળો દ્વારા પદયાત્રીકોની સેવા કરવા માટે જુદી જુદી જગ્યાઓએ સેવા કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે જેમાં આશાપુરાના ધામ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સહીતની સુવિધાઓ મળી રહેતી હોય છે.તેમાં મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પણ સતત ૨૧ મા વર્ષે સેવા કેમ્પનુ આયોજન કરાયુ છે.આગામી તા.૨૦-૯ થી તા.૨૫-૯ સુધી પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહીતી મુજબ આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે ત્યાં કેમ્પ યોજવામાં આવે છે અને આ વર્ષે પણ તા.૨૦-૯ થી તા.૨૫-૯ સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આશાપુરા મિત્ર મંડળ દ્વારા ભુજથી ૧૩ કિલોમીટર દુધઈ રોડ ઉપર કંઢેરાયના પાટીયા પાસે પધ્ધર ગામની બાજુમાં સેવા કેમ્પ યોજવામાં આવ્યો છે.જેમાં પદયાત્રીકોને ૨૪ કલાક રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભાડીયા (મો.૯૯૧૩૦ ૫૨૩૩૦), પ્રફુલભાઈ પાટડિયા (મો.૯૮૭૯૨ ૭૧૭૯૩), મનુભાઈ બરાસરા (મનુકાકા) (મો.૯૮૭૯૧ ૭૫૨૭૭), હિમાંશુભાઈ પારેખ (મો.૮૧૬૦૯ ૫૭૯૩૯) અથવા પારસભાઈ પટેલ (મો.૯૮૯૮૧ ૫૨૮૬૭) નો સંપર્ક કરવા આશાપુરા મિત્રમંડળે યાદીમાં જણાવેલ છે.

સૂરજબારી પુલ પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર(મોરબી) દ્વારા કેમ્પનું આયોજન

કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે મોરબીના યુવાનો દ્વારા એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સતત ૨૦૧૨ થી આ ગ્રુપ સેવાના કર્યો કરે છે. આ કેમ્પ ઉપક્રમે તા.૧૭-૯ થી તા.૨૦-૯ સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે.આ કેમ્પમાં ૨૪ કલાક ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે ખાસ કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે સાથે નહાવા-ધોવાની પણ વ્યવસ્થા કરેલી છે.કેમ્પ સૂરજબારી પુલ પહેલાં, પોલીસ ચેક પોસ્ટ પાછળ, મોરબી- માળીયા  હાઇવે, જી.મોરબી ખાતે યોજાશે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૯૭૯૦ ૫૦૦૦૦, ૯૮૭૯૩ ૭૬૦૩૩, ૯૮૨૫૨ ૧૭૭૧૦ અથવા ૯૦૩૩૩ ૪૫૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News