ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના દીર્ઘાયુને લઈને આવતીકાલે યજ્ઞ, ૭૨ કિલો સુખડીની કેક કપાશે


SHARE













મોરબીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના દીર્ઘાયુને લઈને આવતીકાલે યજ્ઞ, ૭૨ કિલો સુખડીની કેક કપાશે

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમયકાળ દરમિયાન અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે અને શનાળા ગામે ભાગવત સપ્તાહ ચાલી રહી છે તે દરમિયાનમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આવતીકાલ તા.૧૭-૯ ના રોજ જન્મદિવસ આવી રહ્યો હોય તેમના જન્મદિવસ નિમિત્તે અને તેમની દીર્ઘાયુને લઈને આયુષ્ય યજ્ઞનું ઉમાટાઉનશીપ ખાતે આયોજન કરવામાં આવેલું છે.

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું છે.ત્યારે તા.૧૭-૯ ને શનિવારના રોજ લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નીધ્યમાં ઉમા ટાઉનશીપ મુકામે આયુષ્ય યજ્ઞ કરવામાં આવશે.તેમજ પૂજ્ય ભાઈશ્રી ૭૨ કિલો સુખડીની કેક કાપશે અને ૭૨ ટન સુખડી વિતરણ કરાશે.તા.૧૭ ના બપોરે ૩:૩૦ કલાકે પ્રારંભ થનાર આ યજ્ઞનું બીડું સાંજે ૬:૩૦ કલાકે પૂજ્ય ભાઈશ્રી દ્વારા હોમાશે અને પૂજ્ય ભાઈશ્રીના જ સાન્નીધ્યમાં ઉમા ટાઉનશીપ મુકામે સાંજે ૭ કલાકે પ્રસાદનું આયોજન કરાયેલ છે.તેમ પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જનયણાવેલ છે.






Latest News