મોરબી ખાતે આયોજિત ભાગવત સપ્તાહમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો
SHARE
મોરબી ખાતે આયોજિત ભાગવત સપ્તાહમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો
મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.ભાગવત સપ્તાહના પાંચમ દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કથાનું રસપાન કરાવતા સંદેશો આપ્યો હતો કે આ ભગીરથ કાર્ય કરવા બદલ કાંતિભાઈ અમૃતિયા પરિવારને બિરદાવ્યા હતા અને સમાજમાં આવા જ જન સેવકો રહે તો સમાજમાં ધર્મની ધજા હંમેશા લહેરાતી રહેશે.
મોરબી મુકામે આયોજીત કથામાં ગુજરાતનું ગૌરવ તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરસોત્તમભાઈ રૂપાલા, ચેરમેન ઇફકોના દિલીપભાઈ સંઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, પુષ્પદાનભાઇ ગઢવી, મંત્રી બ્રીજેશભાઇ મેરજા, બાબુભાઇ ઘોડાસર, જયસુખભાઇ પટેલ (ઓરેવા), કેસરીદેવસિંહ (વાંકાનેર), સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરશોતમ સાબરીયા અને રાઘવજીભાઇ ગડારા સહીતના રાજકીય આગેવાનો તેમજ મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, મોરબી પોલીસવડા રાહુલભાઈ ત્રિપાઠી, ડીડીઓ પરાગ ભગદેવ સહીતના હાજર રહ્યા હતા.