મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ


SHARE











માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ

માળીયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ સ્મશાનમાં મૂકવામાં આવેલ શંકર ભગવાનની મૂર્તિને ગામના જ આ એક શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ભગવાનની મૂર્તિને ખંડિત કરનારા શખ્સની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ રવજીભાઈ શેરસીયા જાતે પટેલ (ઉમર ૫૦)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના દાદાએ મોટાભેલા ગામના સ્મશાનમાં શંકર ભગવાનની મૂર્તિને મુકાવી હતી અને તે મૂર્તિને આરોપી ભરતભાઈ સોમાણી દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ફરિયાદી હસમુખભાઈ તથા ગ્રામજનોની લાગણી દુબઈ હોય તેઓએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ સોમાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ નં. ૨૯૫ મુજબ ગુનો નોંધીને આરોપી ભરતભાઈ જીવણભાઈ સોમાણી ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. #morbitoday






Latest News