મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ


SHARE









માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ

માળીયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ સ્મશાનમાં મૂકવામાં આવેલ શંકર ભગવાનની મૂર્તિને ગામના જ આ એક શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ભગવાનની મૂર્તિને ખંડિત કરનારા શખ્સની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ રવજીભાઈ શેરસીયા જાતે પટેલ (ઉમર ૫૦)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના દાદાએ મોટાભેલા ગામના સ્મશાનમાં શંકર ભગવાનની મૂર્તિને મુકાવી હતી અને તે મૂર્તિને આરોપી ભરતભાઈ સોમાણી દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ફરિયાદી હસમુખભાઈ તથા ગ્રામજનોની લાગણી દુબઈ હોય તેઓએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ સોમાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ નં. ૨૯૫ મુજબ ગુનો નોંધીને આરોપી ભરતભાઈ જીવણભાઈ સોમાણી ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. #morbitoday






Latest News