મોરબીની બીલીયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ઉજવાયો
મોરબીમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની પત્નીનું છરીની અણીએ અપહરણ કરવાના ગુનામાં નવ આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની પત્નીનું છરીની અણીએ અપહરણ કરવાના ગુનામાં નવ આરોપીની ધરપકડ
મોરબીના બંધુનગર ગામ પાસેથી પ્રેમ લગ્ન કરનારા યુવાનની પત્નીનું થોડા દિવસો પહેલા છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ત્રણ મહિલા સહિત નવ આરોપીની ધરપકડ કરેલ છે જે પૈકીનાં છ આરોપી જમીન મુક્ત થયેલ છે અને મહિલાઓને આજે કોરટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે
વિરમગામમાં રેલ્વે ફાટક પાસે કાળુભાઈ મારવાડીના મકાનમાં ભાડે રહેતા તેમજ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના થાનમાં ઝાલાવાડ પોટરી મફતપરા રવિનગર પાસેનો રહેવાસી મહેશભાઈ પ્રભુભાઈ માત્રાણીયા જાતે કોળી (૨૧) હાલ બંધુનગર પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ પંપ પાસે રહેતો હોય અને ત્યાંથી તેની પત્ની લક્ષ્મીબેન મહેશભાઇ માત્રાણીયા જાતે કોળી (લક્ષ્મીબેન અમરશીભાઇ રાઠોડ)નું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને મહેશભાઇએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અશોક કેશાભાઇ ધરજીયા, જીણા કેશાભાઇ ધરજીયા, વિપુલ તેના સાસુ વસંતબેન સહિતનાઑ દ્વારા અજાણ્યા ઈસમો આવ્યા હતા અને ત્યારે છરીની અણીએ લક્ષ્મીબેનનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમજ તેઓને ગાળ આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જે ગુનામાં પોલીસે આરોપી અશોક કેશાભાઇ ધરજીયા (૩૨), જીતેન ઉર્ફે જીતો કેશાભાઇ ધરજીયા (૨૬) અને વિપુલ વિનોદભાઇ સાપરા (૧૯) નિતાબેન આશોકભાઈ ધરજીયા રહે. ચારેય થાન, પ્રભુભાઈ રામભાઈ રાઠોડ (૩૫), આલાભાઈ વાલાભાઈ રાઠોડ (૫૦), અમરશીભાઈ વાલાભાઈ રાઠોડ (૪૨) અને વસંતબેન અમરશીભાઈ રાઠોડ રહે. ચારેય વિનયગઢ તેમજ સોનાબેન લક્ષ્મણભાઈ મકવાણા રહે. થાન ની ધરપકડ કરેલ છે અને છ પુરુષ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તે આરોપીઓ જમીન મુક્ત થયેલ છે અને મહિલા આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યુ છે