મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

ભારતને મજબુત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની વિનોદભાઇ ચાવડા દ્વારા સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ


SHARE













ભારતને મજબુત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની વિનોદભાઇ ચાવડા દ્વારા સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ

જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા તથા તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ સંયુક્ત ઉપક્રમે ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓના લાભ છેવાડાના નાનામાં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ હતી

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારતને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગો ને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ– ભુજ દ્વારા વિવિધ સહાયોનું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્છ ભરમાં મોદીજીના જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ, ભુજની શાન ભુજીયાની તળેટી માં સ્મૃતિવન માં ૭૨૦૦ વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતું. સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન કારા, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર, તથા મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાવેલ હતી અને કેક કાપી મોદીજીના સ્વાસ્થય અને દીર્ઘાયુ માટે શુભ કામના પાઠવી હતી. ત્યારે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્રભાઇ જણસારીનો પણ જન્મદિવસ હોય તેને શુભેચ્છા પાઠવી હતી.






Latest News