મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ભારતને મજબુત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની વિનોદભાઇ ચાવડા દ્વારા સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ


SHARE















ભારતને મજબુત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની વિનોદભાઇ ચાવડા દ્વારા સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ

જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા તથા તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ સંયુક્ત ઉપક્રમે ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓના લાભ છેવાડાના નાનામાં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ હતી

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારતને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગો ને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ– ભુજ દ્વારા વિવિધ સહાયોનું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્છ ભરમાં મોદીજીના જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ, ભુજની શાન ભુજીયાની તળેટી માં સ્મૃતિવન માં ૭૨૦૦ વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતું. સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન કારા, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર, તથા મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાવેલ હતી અને કેક કાપી મોદીજીના સ્વાસ્થય અને દીર્ઘાયુ માટે શુભ કામના પાઠવી હતી. ત્યારે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્રભાઇ જણસારીનો પણ જન્મદિવસ હોય તેને શુભેચ્છા પાઠવી હતી.






Latest News