મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસની આગેવાની માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ધરણાં યોજાયો


SHARE















મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસની આગેવાની માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ધરણાં યોજાયો

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ  દ્વારા મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીની સ્થિતિ છે ત્યારે સરકાર માળીયા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને સહાય આપે તેવી માંગ સાથે અને રજૂઆતો કરવામાં આવી છે તો પણ કોઈ નિર્ણય ન કરતા માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસે ખેડૂતો દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં આગમી આઠ દિવસમાં નિર્ણય નહી કરવામાં આવે તો ઉગ્ર અંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ કાર્યકર્મનું કાંતિલાલ ડી. બાવરવા, ભાવેશ ભાઈ સાવરિયા તથા  કુલદીપસિંહ જાડેજા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યકમમાં  કિશાન આગેવાન જે.કે પટેલ, ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, ભરતભાઈ કરેણ, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જન્તીલાલ જે પટેલ, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડ્સુમ્બીયા, માળિયા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ ઝેડા, માળિયા પાલિકા પ્રમુખ હારુનભાઈ, રાણાભાઇ ડાંગર, ડો.લખમણભાઈ કંઝારીયા,  જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ પ્રમુખ અમુભાઈ હુંબલ, મોરબી જીલ્લા ઓબીસી કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ જારીયા,  કિશોરભાઈ બોપાલિયા, મુકેશભાઈ ગામી, મહેશભાઈ પારજીયા, સતીશ મેરજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, સંદીપ કાલરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જનરલ સેક્રેટરી મનોજ પનારા, ટંકારા વિધાન સભના પ્રભારી સ્નેહલતાબેન  દરેક ગામના સરપંચો, તેમજ અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. 






Latest News