ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જે.પી. નડ્ડાના આગમન પૂર્વે પત્રકાર પરિષદ યોજાઇ: મંગળવારે રોડ શોમાં ૫૦ હજાર લોકો ઉમટશે


SHARE







મોરબીમાં જે.પી. નડ્ડાના આગમન પૂર્વે પત્રકાર પરિષદ યોજાઇ: મંગળવારે રોડ શોમાં ૫૦ હજાર લોકો ઉમટશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને આગામી મંગળવારે મોરબીમાં ભવ્ય રોડ શો યોજવાનો છે તેની માહિતી આપવા માટે પ્રદેશ ભાજપના મહામંત્રી અને

આગામી દિવસોમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ૧૮૨ ના લક્ષ્યાંક સાથે ભાજપ મેદાને ઉતરવા માટે થઈને તૈયારીઓ કરી રહી છે જેના ભાગરૂપે જ્ઞાતિ, સમાજ અને સંગઠનો સાથે મીટીંગ અને મેળવડાઓ કરવામાં આવી રહ્યા છે દરમિયાન આગામી સપ્તાહમાં તા. ૨૦ અને ૨૧ ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યારે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ મોરબીમાં જે.પી. નડ્ડાની હાજરીમાં મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય રોડ સો યોજવાનો છે જેની માહિતી આપવા માટે મોરબીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતનાં પ્રભારી રતનાકારજી, પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના શનાળા રોડથી લઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ રોડ શોને પૂરો કરવામાં આવશે જેમાં ૫૦ હજારથી વધુ લોકો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે






Latest News