મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન
Breaking news
Morbi Today

વાંકાનેરથી ગાંધીનગર હક્ક માટે જતા MDM ના સંચાલકોને રોકતી પોલીસમાં ભાજપના કાર્યકરોને રોકવાની છે હિંમત ?


SHARE











વાંકાનેરથી ગાંધીનગર હક્ક માટે જતા MDM ના સંચાલકોને રોકતી પોલીસમાં ભાજપના કાર્યકરોને રોકવાની છે હિંમત ?

ગુજરાતમાં મધ્યાન ભોજન યોજના (એમડીએમ)માં કામ કરતા સંચાલકો અને હેલ્પર સહિતનાઓને નજીવો પગાર છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે જેથી કરીને પગાર વધારો સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓની માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેથી મધ્યાન ભોજનના ગુજરાતભરના સંચાલકો દ્વારા આજે સોમવારે ગાંધીનગર ખાતે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૯૬૦૦૦ જેટલા કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડે તેમ હતા ત્યારે મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર આંદોલનમાં જોડાવા માટે જતાં એમડીએમના કર્મચારીઓને ચંદ્રપુર ગામ પાસે રોકોવામાં આવ્યા હતા અને વાંકાનેર તાલુકામાંથી મહિલા સંચાલકો સહિતના કુલ મળીને ૬૦ જેટલા એમડીએમના સંચાલકોએ ખાનગી બસ બાંધીને ગાંધીનગર જતાં હતા તેને રોકીને વાંકાનેર સિટી પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા અને કલાકો સુધી પોલીસ મથકે બેસાડી રાખવામા આવ્યા હતા ત્યાર બાદ મહિલા સંચાલકોને રાત્રિના સમયે ઘરે જવા દેવામાં આવ્યા હતા જો કે, પુરૂષોને સવારે આઠ વાગ્યા સુધી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રાખવામા આવ્યા હતા ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, એમડીએમના સંચાલકોનો શું વાંક કે ગુનો હતો જેથી તેને આખી રાત પોલીસ સ્ટેશન્મા રાખવામા આવેલ છે ? ત્યારે એક સંચાલક સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ગાંધીનગરમાં ૧૪૪ લાગુ હોવાથી તે લોકો ત્યાં જય શકે નહીં તેવું પોલીસ તરફથી કહેવામા આવ્યું છે તો આવતી કાલે મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે ત્યારે ૫૦ હજાર લોકોને ભેગા કરવાનું ભાજપ કહી રહી છે અને મોરબી જીલ્લામાં પણ કલમ ૧૪૪ લાગુ જ છે તો શું આ કાર્યક્રમમ જતાં લોકોને પણ રોકવાની મોરબી જિલ્લા પોલીસમાં હીમત છે ? આવો અણીદાર આક્ષેપ પણ કરવામાં આવેલ છે






Latest News