ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરથી ગાંધીનગર હક્ક માટે જતા MDM ના સંચાલકોને રોકતી પોલીસમાં ભાજપના કાર્યકરોને રોકવાની છે હિંમત ?


SHARE







વાંકાનેરથી ગાંધીનગર હક્ક માટે જતા MDM ના સંચાલકોને રોકતી પોલીસમાં ભાજપના કાર્યકરોને રોકવાની છે હિંમત ?

ગુજરાતમાં મધ્યાન ભોજન યોજના (એમડીએમ)માં કામ કરતા સંચાલકો અને હેલ્પર સહિતનાઓને નજીવો પગાર છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે જેથી કરીને પગાર વધારો સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓની માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેથી મધ્યાન ભોજનના ગુજરાતભરના સંચાલકો દ્વારા આજે સોમવારે ગાંધીનગર ખાતે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૯૬૦૦૦ જેટલા કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડે તેમ હતા ત્યારે મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર આંદોલનમાં જોડાવા માટે જતાં એમડીએમના કર્મચારીઓને ચંદ્રપુર ગામ પાસે રોકોવામાં આવ્યા હતા અને વાંકાનેર તાલુકામાંથી મહિલા સંચાલકો સહિતના કુલ મળીને ૬૦ જેટલા એમડીએમના સંચાલકોએ ખાનગી બસ બાંધીને ગાંધીનગર જતાં હતા તેને રોકીને વાંકાનેર સિટી પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા અને કલાકો સુધી પોલીસ મથકે બેસાડી રાખવામા આવ્યા હતા ત્યાર બાદ મહિલા સંચાલકોને રાત્રિના સમયે ઘરે જવા દેવામાં આવ્યા હતા જો કે, પુરૂષોને સવારે આઠ વાગ્યા સુધી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રાખવામા આવ્યા હતા ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, એમડીએમના સંચાલકોનો શું વાંક કે ગુનો હતો જેથી તેને આખી રાત પોલીસ સ્ટેશન્મા રાખવામા આવેલ છે ? ત્યારે એક સંચાલક સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ગાંધીનગરમાં ૧૪૪ લાગુ હોવાથી તે લોકો ત્યાં જય શકે નહીં તેવું પોલીસ તરફથી કહેવામા આવ્યું છે તો આવતી કાલે મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે ત્યારે ૫૦ હજાર લોકોને ભેગા કરવાનું ભાજપ કહી રહી છે અને મોરબી જીલ્લામાં પણ કલમ ૧૪૪ લાગુ જ છે તો શું આ કાર્યક્રમમ જતાં લોકોને પણ રોકવાની મોરબી જિલ્લા પોલીસમાં હીમત છે ? આવો અણીદાર આક્ષેપ પણ કરવામાં આવેલ છે






Latest News