મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળ-યદુનંદન ગૌશાળાની માજી ધારાસભ્ય કાંતિભાઈ સાથે મુલાકાત લેતા ભાઇશ્રી


SHARE













મોરબીમાં પાંજરાપોળ-યદુનંદન ગૌશાળાની માજી ધારાસભ્ય કાંતિભાઈ સાથે મુલાકાત લેતા ભાઇશ્રી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગૌ સેવા માટેનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને ગાય માતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ માટે મળે તેવી શુભ ભાવના સાથે તેઓએ ગાય અને ગૌવંશોને ૭૨ ટન સુખડીનો પ્રસાદ આપવા માટેનો સંકલ્પ કર્યો છે ત્યારે મોરબીમાં તેઓએ કોરોનાના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું અને કથા ગઇકાલે પૂર્ણ થઇ હતી ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેથી કરીને  ભાઇશ્રી રમેશભાઈ ઓઝા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો ત્યાં હજાર રહ્યા હતા અને ત્યારે ભાઇશ્રીએ કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પને તેમજ પાંજરાપોળ અને યદુનંદન ગૌશાળાની કામગીરીને બિરદાવી હતી






Latest News