મોરબીમાં પાંજરાપોળ-યદુનંદન ગૌશાળાની માજી ધારાસભ્ય કાંતિભાઈ સાથે મુલાકાત લેતા ભાઇશ્રી
SHARE
મોરબીમાં પાંજરાપોળ-યદુનંદન ગૌશાળાની માજી ધારાસભ્ય કાંતિભાઈ સાથે મુલાકાત લેતા ભાઇશ્રી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગૌ સેવા માટેનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને ગાય માતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ માટે મળે તેવી શુભ ભાવના સાથે તેઓએ ગાય અને ગૌવંશોને ૭૨ ટન સુખડીનો પ્રસાદ આપવા માટેનો સંકલ્પ કર્યો છે ત્યારે મોરબીમાં તેઓએ કોરોનાના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું અને કથા ગઇકાલે પૂર્ણ થઇ હતી ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેથી કરીને ભાઇશ્રી રમેશભાઈ ઓઝા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો ત્યાં હજાર રહ્યા હતા અને ત્યારે ભાઇશ્રીએ કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પને તેમજ પાંજરાપોળ અને યદુનંદન ગૌશાળાની કામગીરીને બિરદાવી હતી