વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા શાળાનો કલા મહાકુંભમાં દબદબો યથાવત
મોરબીના પ્રેમજીનગરમાં તામસી મગજ-ટેન્શનના લીધે યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના પ્રેમજીનગરમાં તામસી મગજ-ટેન્શનના લીધે યુવાને કર્યો આપઘાત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગરમાં રહેતા યુવાને તામસી મગજ અને માનસિક તકલીફના લીધે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરેલ છે
બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા કેતનભાઇ બચુભાઈ વરણ (ઉંમર ૧૮) નામના યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા એએસઆઇ એમ.આર. ગામેતી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક યુવાનના પરિવારજનોના કહેવા મુજબ મૃતક યુવાન તામસી મગજનો હતો અને તેને માનસિક તકલીફ હતી જેથી તેને ટેન્શનમાં આવીને આપઘાત કરી લીધો છે જેથી પોલીસે તેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે