ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ભુલા પડેલા વૃદ્ધાને 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોચાડ્યા


SHARE













મોરબી શહેરમાં ભુલા પડેલા વૃદ્ધાને 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોચાડ્યા

મોરબી શહેરના રવાપર રોડ વિસ્તારમા 83 વષૅના માજી એકલા ભુલા પડયા હોય રવાપર વિસ્તારમાથી એક જાગૃત નાગરિકનો 181 મા કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતું કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે. અને તેમને મદદની જરૂર છે. 181  અભયમની ટીમને જાણ થતા કાઉન્સિલર જાગૃતિ ભુવા તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન ધલવાણિયા અને પાયલોટ હેદરભાઈ સ્થળ પર પહોંચી કાઉન્સલિગ કરી પરિવાર ની માહિતી મેળવી સુરક્ષિત ઘરે પહોચાડયા હતા.

મોરબીના  એક રવાપર વિસ્તારમા 83 વષૅના માજી અશકત હાલતમા ભુલા પડયા હોવાનો કોલ મળતા મોરબી 181 અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી. મધ્ય રાત્રીના સમયે માજી ઘરેથી નીકળી ગયા હતા અને  માજીની સ્થિતી ખૂબ જ દયાજનક હતી. શરીરે અશક્તિ આવી ગઈ હોવાથી ચાલી શકતા ન હતા. જેથી માજીનુ કાઉન્સેલિગ કરતા તેમણે જણાવ્યું કે તેઓ તેમના દીકરાની વહુના સાથે તકરાર થતા અવાર-નવાર ઘરેથી નીકળી જાય છે. વૃદ્ધાની વાત સાભળી તેમનું સરનામુ પુછતા બરાબર યાદ ન હોવાથી અનેક પ્રયત્નો બાદ વૃદ્ધાના ઘરનું સરનામું મેળવી તેમના દીકરાનો સંપર્ક કરી વૃદ્ધાને તેમના ઘરે પહોચાડી તેમના દિકરાની વહુને સોંપવામાં આવ્યા હતાં.

તેમના દિકરાની વહુનુ કાઉન્સેલિગ કરતા જાણવા મળ્યુ હતું કે માજી ઉંમરના કારણે માનસિક અસ્વસ્થ હોવાના કારણે વારંવાર ઘરેથી કોઈને પણ જાણ બહાર નીકળી જાય છે. તેમના દિકરાની દિકરીએ વધુમાં કહ્યુ હતું કે અગાઉ પણ ઘણી વખત માજી ઘરેથી નીકળી ગયા હતાં. આમ 181 ની ટીમ દ્વારા માજીના દિકરાની વહુને જણાવેલ કે તેઓ માજીનુ ધ્યાન રાખે અને સાર-સંભાળ રાખે તો માજી વારંવાર ઘરેથી નીકળી ન જાય તેવી લાબી સમજાવટ આપવામાં આવી હતી અને માજીને સલામત રીતે ઘરે પહોચાડવા બદલ તેના પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો






Latest News