મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન
SHARE
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન
છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે ગુજરાતભર નવરાત્રીના આયોજન કરવામાં આવતા ન હતા જો કે, ચાલુ વર્ષ સરકાર દ્વારા નવરાત્રીની ઉજવણીને મજૂરી આપવામાં આવી છે જેથી કરીને મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
દુનિયાનો સૌથી લાંબો ચાલતો તહેવાર એટ્લે નવરાત્રી. આગામી નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે જેથી કરીને ખેલૈયાઑ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીમાં અલગ અલગ સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં રોટરી કલબ દ્વારા તા ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકે લીલાપર રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો તથા કપલ્સ માટે પ્રિન્સ-પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ પરફોર્મન્સ સહિતના ઇનામો પણ રાખવામા આવેલ છે અને ખેલૈયાઓ સાથે દર્શકો માટે પણ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે રોટરી કલબના પ્રમુખ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રશેષભાઈ મહેતા તેમજ પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠ (૯૩૭૬૬૫૨૩૬૦) ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે