મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે પરશુરામ ટ્રસ્ટ દ્વારા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્મશાંતિ અર્થે યજ્ઞ અને શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

થોડા દિવસો પહેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન થયું હતું જેથી કરીને સનાતન હિન્દુ સમાજને મોટી ખોટ પડી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે પરશુરામ ધામ ખાતે તા ૨૫ ના રોજ રવિવારે સાંજે ૫ થી ૬ શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૬ થી ૭ શ્રદ્ધાંજલી સભા રાખેલ છે જેથી કરીને ભૂદેવોને સહપરિવાર ત્યાં શ્રદ્ધાંજલીના કાર્યક્ર્મમાં આવવા માટે ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યા તેમજ સર્વે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે






Latest News