મોરબી જિલ્લાની ૭ શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલી બની
મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે પરશુરામ ટ્રસ્ટ દ્વારા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્મશાંતિ અર્થે યજ્ઞ અને શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
થોડા દિવસો પહેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન થયું હતું જેથી કરીને સનાતન હિન્દુ સમાજને મોટી ખોટ પડી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે પરશુરામ ધામ ખાતે તા ૨૫ ના રોજ રવિવારે સાંજે ૫ થી ૬ શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૬ થી ૭ શ્રદ્ધાંજલી સભા રાખેલ છે જેથી કરીને ભૂદેવોને સહપરિવાર ત્યાં શ્રદ્ધાંજલીના કાર્યક્ર્મમાં આવવા માટે ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યા તેમજ સર્વે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે