મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે
મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં નવાડેલા રોડ ઉપર આવેલ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીમાં તા. ૨૫ ને રવિવારે બપોરે અઢી વાગ્યે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોચી સમાજના કે.જી. થી ધો.૧૨ માં ૬૦ ટકાથી વધુ ટકા મેળવેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારંભનું ઉદ્ઘાટન બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકરી ઈલાબેન ગોહિલ તેમજ પ્રદીપભાઈ વાળા દ્વારા કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે જાગા સ્વામી મિત્ર મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેવું સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડએ જણાવ્યુ છે