મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં નવાડેલા રોડ ઉપર આવેલ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં તા. ૨૫ ને રવિવારે  બપોરે અઢી વાગ્યે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોચી સમાજના કે.જી. થી ધો.૧૨ માં ૬૦ ટકાથી વધુ ટકા મેળવેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારંભનું ઉદ્ઘાટન બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકરી ઈલાબેન ગોહિલ  તેમજ પ્રદીપભાઈ વાળા દ્વારા કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે જાગા સ્વામી મિત્ર મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેવું સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડએ જણાવ્યુ છે






Latest News