ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા યુવાનને માથા અને કાનના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો જો કે સારવાર કારગર નહીં નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહીની કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા કરશનભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર ૪૫) પોતાના ઘરે હતા ત્યારે તા.૨૯-૮ ના રોજ રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયા હતા.જેથી કરીને તેમને માથામાં અને કાનના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન કરશનભાઇ ચાવડાનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં અશોકભાઇ સારદીયાએ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મજૂર યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ એફિલ વિટ્રીફાઈડના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો ગોવિંદસિંગ ખુશીલાલ આહિરવાલ નામનો ૪૫ વર્ષનો યુવાન લેબર કવાટરની છત ઉપરથી નીચે પડી જતા તેને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
 
બાળક સારવારમાં
 
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી ગામે બાઈક ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના આદિત હરેશભાઈ હડિયલ નામના બાળકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ તથા બાબુભાઈ ભવાનભાઈ સોલંકી નામના ૬૦ વર્ષના વૃદ્ધને પણ સિવિલે સારવારમાં ખસેડાયા હતા





Latest News