ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડાનાયાણી ગામે કડિયા કામ કરતો યુવાન ઉપરથી નીચે પટકાતાં મોત નીપજયું


SHARE













વાંકાનેરના કોટડાનાયાણી ગામે કડિયા કામ કરતો યુવાન ઉપરથી નીચે પટકાતાં મોત નીપજયું

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કડિયા કામ કરતા સમયે પહેલા માળ ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને રાજકોટ સારવાર માટે લઈને ગયા હતા જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનની મોત નીપજયું છે જેથી અકસ્માટ મૃત્યુના બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને રાજકોટ સિવિલ મારફતે જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતો અને કડિયા કામ કરતો સુનિલ મનુભાઈ દેત્રોજા (ઉંમર ૨૧) નામનો યુવાન વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે અહેમદભાઈ કાતિયારના ઘરે કડિયા કામ કરી રહ્યો હતો ત્યારે પહેલા માળેથી તે નીચે પટકાતા તેને શરીરે ગંભીર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે દરમિયાન મૃતક યુવાનના ભાઈ સાથે થયેલ વાત મુજબ મૃતક સુનિલ દેત્રોજા કડિયા કામ કરતો હતો અને તે અહેમદભાઈના ઘરે કડિયા કામ કરવા માટે ગયો હતો ત્યારે કોઈ પણ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે પડ્યો હોવાનું હાલમાં અહેમદભાઈ પાસેથી જાણવા મળ્યું છે અને અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ સુનિલ ત્રણ ભાઈમાં સૌથી મોટો હતો

ઓલાઆઉટ પી ગયો

વાંકાનેરમાં જીનપરા વિસ્તારની અંદર રહેતો અનિલ રાજેશભાઈ સોલંકી (ઉમર ૩૧) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તે ઓલઆઉટ પી ગયો હતો જેથી ઝેરી અસર થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છે યુવાન સિલાઈ કામ કરતો હતો અને સિલાઈ કામ ઘણા સમયથી બરોબર ચાલતું ન હતું જેથી કંટાળી જઈને તેને ઓલ આઉટ પી લીધું હતું






Latest News