મોરબીમાં પતિને પ્લાસ્ટિકના પાઇપથી માર મારવાના ગુનામાં પત્નીની ધરપકડ
મોરબીમાં પંદર વર્ષનું લગ્ન જીવન તૂટતાં 181 અભયમ ટીમની ટીમે બચાવ્યું
SHARE
મોરબીમાં પંદર વર્ષનું લગ્ન જીવન તૂટતાં 181 અભયમ ટીમની ટીમે બચાવ્યું
મોરબીમાં પીડિતા દ્વારા 181 પર કોલ કરવામાં આવ્યો હતો કે મારાં પતિ સાથે જગડો થતા તેને મારા પર હાથ ઉપાડ્યો હતો આથી હું મારાં પિયર આવી ગઈ છું. છેલ્લા એક અઠવાડિયાથી હું મારાં પિયર છું. મારે શુ કરવું એ સમજાતું નથી માટે મારે 181 ની મદદની જરૂર છે. આથી મોરબી સ્થિત કાઉન્સેલર રસીલાબેન તથા કોન્સ્ટેબલ રંજનબેન અને પાયલોટ દિનેશભાઇ પીડિતા બેનને લઈને તેના સાસરિયામાં પહોચ્યા હતા અને ત્યાં તેના પતિને સાસુ સસરા સાથે વાતચીત કરી હતી અને વાતચીત કરતા પીડિતા બેને જણાવ્યું કે મારાં લગ્નને પંદર વર્ષ થયા છે. અને મારે ત્રણ બાળકો છે. પરંતુ મારે મારા પતિ સાથે ઘરના કામકાજ બાબતે વારંવાર જગડો થયા જ કરે છે. આથી હું મારાં પતિ સાથે છુટા છેડા લેવા માંગુ છું.
ત્યારબાદ 181 ટીમે પીડિતા બેનના પતિ સાથે વાતચીત કરી. વાતચીત કરતા તેને જણાવ્યુ હતું કે હું મારી પત્ની સાથે રહેવા માંગુ છું. પરંતુ તે મારું કેહવું માનતી નથી. આને લીધે આમરી વચ્ચે જગડાઓ થયા કરે છે. અને હું ક્યારેક હાથ પણ ઉપાડું છું. આથી પીડિતાના પતિને સમજાવ્યા કે પત્ની પર હાથ ઉપડવો એ ધરેલું હિંસા કહેવાય અને કાનૂની અપરાધ છે. આ ઉપરાંત તેને સમજાવ્યા કે કોઈ પણ વાત નું સમાધાન વાતચીતથી થઈ શકે છે. ત્યારબાદ પીડિતા બહેન અને તેના પતિનું કાઉન્સિલિંગ કરી તેમના બાળકોના ભવિષ્ય વિશે વિચાર કરવા સમજણ અપાઈ અને અંતમાં તેઓ બન્ને વચ્ચે સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ અને પીડિતા બહેન તેના સાસરિયામાં રહેવા તૈયાર થયા છે આમ,કુશળ કાઉન્સેલિંગ અને સમજાવટ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવી લગ્ન જીવન તૂટતાં બચાવવામાં સફળતા મળેલ છે









