માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

ગાંધી જયંતીથી મોરબી જિલ્લામાં સસ્તા અનાજની તમામ દુકાનો બંધ કરવાની ચીમકી


SHARE













ગાંધી જયંતીથી મોરબી જિલ્લામાં સસ્તા અનાજની તમામ દુકાનો બંધ કરવાની ચીમકી

મોરબી જીલ્લામાં આવેલ સસ્તા આનાજની દુકાનના સંચાલકો દ્વારા સરકારમાં ઘણા સમયથી કમિશન વધારવા સહિતની માંગણી કરવામાં આવે છે જો કે, તેઓની પડતર માંગણીઓ ઉકેલવામાં આવી નથી જેથી કરીને હવે તેઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી તા ૨ ઓક્ટોબર એટ્લે કે ગાંધી જયંતીથી તમામ દુકાનો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે વધુમાં મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસો.આ આગેવાને જણાવ્યુ છે કે, ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા પોષણક્ષમ દુકાન, વિતરણ ઘટ, કોરોના સહાય ચૂકવવી, પીઓએસનો અમલ, હૈયાતીમાં નોમિનેશન, જરૂરી સાહિત્ય નિભાવવા, ત્રીસ દિવસની સાયકલ, મધ્યાહન યોજના અને આંગણવાડીનું કમિશન સહિતની જુદીજુદી માંગણીઓ કરવામાં આવી રહી છે જો કે, તેઓની માંગણીનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને હવે સસ્તા અનાજની દુકાનોને બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News