મોરબી કલેક્ટર કચેરીના આંગણામાં સરકારના પગાર વધારાના પરિપત્રની હોળી કરતી આશાવર્કર- આશાફેસિલિટરો બહેનો
ગાંધી જયંતીથી મોરબી જિલ્લામાં સસ્તા અનાજની તમામ દુકાનો બંધ કરવાની ચીમકી
SHARE
ગાંધી જયંતીથી મોરબી જિલ્લામાં સસ્તા અનાજની તમામ દુકાનો બંધ કરવાની ચીમકી
મોરબી જીલ્લામાં આવેલ સસ્તા આનાજની દુકાનના સંચાલકો દ્વારા સરકારમાં ઘણા સમયથી કમિશન વધારવા સહિતની માંગણી કરવામાં આવે છે જો કે, તેઓની પડતર માંગણીઓ ઉકેલવામાં આવી નથી જેથી કરીને હવે તેઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી તા ૨ ઓક્ટોબર એટ્લે કે ગાંધી જયંતીથી તમામ દુકાનો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે વધુમાં મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસો.આ આગેવાને જણાવ્યુ છે કે, ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા પોષણક્ષમ દુકાન, વિતરણ ઘટ, કોરોના સહાય ચૂકવવી, પીઓએસનો અમલ, હૈયાતીમાં નોમિનેશન, જરૂરી સાહિત્ય નિભાવવા, ત્રીસ દિવસની સાયકલ, મધ્યાહન યોજના અને આંગણવાડીનું કમિશન સહિતની જુદીજુદી માંગણીઓ કરવામાં આવી રહી છે જો કે, તેઓની માંગણીનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને હવે સસ્તા અનાજની દુકાનોને બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે









