મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશનનું કામ બેથી ચાર દિવસમાં ચાલુ થઈ જશે: મગનભાઇ વડાવિયા


SHARE













મોરબી જીલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશનનું કામ બેથી ચાર દિવસમાં ચાલુ થઈ જશે: મગનભાઇ વડાવિયા

મોરબી જિલ્લાના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી કેમ કે, કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા રજીસ્ટ્રેશન બે થી ચાર દિવસમાં શરૂ થઈ જશે તેવું ગુજકોમાસોલના ડિરેક્ટરે જણાવ્યુ છે અને હાલમાં સોફ્ટવેરની ખમીના લીધે રજીસ્ટ્રેશનનું કામ શરૂ થયું નથી જો કે, કામ જેટલું મોડુ થશે તેટલા દિવસો પાછળથી ખેડૂતોને વધુ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે

ગુજરાતમાં ચોમાસામાં ખેડૂતોએ મગફળીનું વધુ વાવેતર કર્યું છે જેથી કરીને ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળીની આગામી દિવસોમાં સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે તેના માટે માર્કેટ યાર્ડ સહિતના સ્થળ ઉપર ખરીદી કરવામાં આવશે જો કે, તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે હજુ સુધી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું નથી ત્યારે ખેડૂતો હેરાન થાય છે જેથી કરીને આ મુદે મોરબીમાં રહેતા ગુજકોમાસોલના ડિરેક્ટરે અને સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, નફેડ ઇ સમૃદ્ધિ પોર્ટલમાં ટેકનિકલ ખામી હોવાના લીધે હાલમાં કામ થતું નથી જો કે, મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે જે રજીસ્ટ્રેશન કરવાનું છે તે આગામી બે થી ચાર દિવસમાં ચાલુ થઈ જશે અને જેટલી મોડી કામગીરી શરૂ કરવામાં આવશે તેટલા વધુ દિવસો ખેડૂતોને આપવામાં આવશે તેવી તેઓએ વાત કરેલ છે






Latest News