મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા કારખાનેદારે ધંધામાં ખોટ આવતા કર્યો આપઘાત


SHARE









મોરબીમાં રહેતા કારખાનેદારે ધંધામાં ખોટ આવતા કર્યો આપઘાત 

મૂળ જૂનાગઢના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને સિરામીક મિનરલ્સના ધંધામાં ભાગીદારીમાં કામકાજ કરતા વેપારી આધેડે ધંધામાં ખોટ આવતા ટંકારાના ધ્રુવનગર ગામ નજીક ઝેરી દવા પી લઇને અંતિમ પગલું ભરી લેતા તેઓનું મોત નિપજયુ હતું જેથી પોલીસે બનાવ અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ધ્રુવનગર ગામની સીમમાં ઝેરી દવા પી લેતા હરિભાઈ ખીમજીભાઇ બહેરા જાતે પટેલ (ઉમર ૫૬) હાલ રહે.મોરબી રવાપર રોડ લવહીલ એપાર્ટમેન્ટ મૂળ રહે. હરિઓમનગર જુનાગઢ વાળાનું મોત નિપજયુ હતું.જેથી કરીને તેમના મૃતદેહને ટંકારા સિવિલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી છે જેની તપાસ એમ.પી.ચાવડા ચલાવી રહ્યા છે.વધુમાં તપાસ કરી રહેલા મુકેશભાઇ ચાવડા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક હરિભાઈ ખીમજીભાઈ પટેલ મૂળ જૂનાગઢ વિસ્તારના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને અહીં મોરબીના સામાકાંઠે ભડીયાદ નજીક આવેલ સિરામીક મિનરલ્સના ધંધામાં ભાગીદારીમાં કામકાજ કરતા હતા જોકે હાલ યુનીટ બંધ હોય અને ધંધામાં ખોટ આવવાના કારણે ગઈકાલે હરીભાઇએ ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં ઝેરી દવા પી લઇને અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે ભરવાડવાસ વિસ્તારમાં રહેતા જતીન વાલજીભાઈ શિયાળ નામના ૨૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે તા.૨૮ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જતીન વાલજીભાઈ નામનો યુવાન બાઈક લઈને જસમતગઢ અને જેતપર વચ્ચેથી જતો હતો ત્યારે આલ્ફાનસો વિટ્રીફાઇડ નજીક તેના બાઇકની આડે  ખૂંટીઓ આડો ઉતરતા બાઇક સ્લીપ થઇ જતા તેને માથામાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના ગેબનશાપીરની દરગાહ પાસે થયેલ મારામારીના બનાવમાં મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા મંજૂરહુસેન ઈકબાલભાઇ જીંદાણી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.






Latest News