મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત


SHARE







મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત

મોરબી નગરપાલિકામાં આવતા રણછોડનગર વિસ્તારમાં આંતરિક  રસ્તાઓ, ભૂગર્ભગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહી નથી જેથી કરીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ આ મુદે સીએમને રજૂઆત કરેલ છે

 મોરબી નગરપાલિકામાં આવતા અને રણછોડનગર નામે જાણીતા વિસ્તારમાં આજે ૩૦ વર્ષ પછી પણ લોકોને ટેક્ષ ભરતા હોવા છતાં પણ પાલિકા દ્વારા સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી નથી જેમાં ખાસ કરીને પીવાનું પાણી ખુબ જ અનિયમિત આવે છે, સફાઈની તો કોઈ વાત જ નથી, અને આંતરીક રોડ જ નથી બનાવ્યા, સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી માટે લોકોને હેરાન થવું પડે છે વધુમાં તેઓએ એવો આક્ષેપ કરેલ છે કે, સ્થાનિક  કાઉન્સીલરોને તો પોતાનું તરભાણું ભરાય તેમા જ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રીને પણ આ વિસ્તાર દેખાતો નથી તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી ! માટે આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને આ વિસ્તારના લોકોને સારા રસ્તા, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, સફાઈ, પાણી સહિતની સુવિધા આપવા માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધાઓ નહિ આપવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News