મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત
મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજાશે
SHARE
મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજાશે
મોરબીમાં ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા જ્ઞાતિની વાડી ખાતે વિજયા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે જેમા ધો.૧ થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપીને આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવશે.છેલ્લા ત્રણ દાયકાથી યોજાતા આ કાર્યક્રમની શરૂઆતમાં શાસ્ત્ર તેમજ શસ્ત્ર પુજન કરવામાં આવશે.
આ અંગેની માહિતી આપતા ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ મનીષ યાજ્ઞિક અને મહામંત્રી ધ્યાનેશ રાવલએ જણાવ્યુ છે કે, છેલ્લે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ વાંકાનેર દરવાજે રામઘાટ પાસે આવેલ જ્ઞાતિની વાડી ખાતે આગામી તા.૫-૧૦ ને બુધવારના રોજ વિજયા દશમીના દિવસે સાંજે પાંચ વાગ્યે તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે જેમા ધો.૧ થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપીને આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવશે.વધુમાં હોદેદારોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દાયકાથી યોજાતા આ કાર્યક્રમની શરૂઆતમાં શાસ્ત્ર તેમજ શસ્ત્રોનું પુજન પણ કરવામાં આવશે.
ગાયત્રી મંદિર
મોરબીના વાઘપરામાં આવેલા ગાયત્રી મંદિર ખાતે નોરતાને લઈને ગરમીનું આયોજન કરવામાં આવે છે જેને લીધે સર્વ બ્રહ્મસમાજ મહિલા પરીવારને જાણવાનું કે, ગાયત્રી મંદિરએ ઘણા વરસોથી બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત "ગાયત્રી ગરબી મંડળ" જે કોઈ સ્વાર્થ વિના અને વિના મૂલ્યે કરવામાં આવે છે. અને ત્યાં સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે ગરબા રમે છે અને દિકરીઓને દરરોજ લાહણી આપવામાં આવે છે અને આ ગરબીમાં અવનવા ગરબા સાથે કચ્છી ડાન્સ રજૂ કરવામાં આવશે જેથી કરીને તે માણવા માટે બ્રહ્મ સમાજ જિલ્લા અને શહેરની ગરબીના હોદેદાર વતી દર્શનાબેન (દક્ષાબેન) જોષીએ લોકોને આમંત્રણ આપ્યું છે.









