મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજાશે


SHARE













મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજાશે

મોરબીમાં ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા જ્ઞાતિની વાડી ખાતે વિજયા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે જેમા ધો.૧ થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપીને આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવશે.છેલ્લા ત્રણ દાયકાથી યોજાતા આ કાર્યક્રમની શરૂઆતમાં શાસ્ત્ર તેમજ શસ્ત્ર પુજન કરવામાં આવશે.

આ અંગેની માહિતી આપતા ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ મનીષ યાજ્ઞિક અને મહામંત્રી ધ્યાનેશ રાવલએ જણાવ્યુ છે કે, છેલ્લે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ વાંકાનેર દરવાજે રામઘાટ પાસે આવેલ જ્ઞાતિની વાડી ખાતે આગામી તા.૫-૧૦ ને બુધવારના રોજ વિજયા દશમીના દિવસે સાંજે પાંચ વાગ્યે તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે જેમા ધો.૧ થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપીને આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવશે.વધુમાં હોદેદારોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દાયકાથી યોજાતા આ કાર્યક્રમની શરૂઆતમાં શાસ્ત્ર તેમજ શસ્ત્રોનું પુજન પણ કરવામાં આવશે.

ગાયત્રી મંદિર

મોરબીના વાઘપરામાં આવેલા ગાયત્રી મંદિર ખાતે નોરતાને લઈને ગરમીનું આયોજન કરવામાં આવે છે જેને લીધે સર્વ બ્રહ્મસમાજ મહિલા પરીવારને જાણવાનું કે, ગાયત્રી મંદિરએ ઘણા વરસોથી  બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત  "ગાયત્રી ગરબી મંડળ"  જે  કોઈ સ્વાર્થ વિના અને વિના મૂલ્યે કરવામાં આવે છે. અને ત્યાં સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે ગરબા રમે છે અને દિકરીઓને દરરોજ લાહણી આપવામાં આવે છે અને આ ગરબીમાં અવનવા ગરબા સાથે કચ્છી ડાન્સ રજૂ કરવામાં આવશે જેથી કરીને તે માણવા માટે બ્રહ્મ સમાજ  જિલ્લા અને શહેરની ગરબીના  હોદેદાર વતી દર્શનાબેન (દક્ષાબેન) જોષીએ લોકોને આમંત્રણ આપ્યું છે.






Latest News