મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજનું બીએસસી સેમ-૨ માં ૧૦૦ ટકા પરિણામ
મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ
SHARE
મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ
મોરબી જિલ્લાના મોરબી અને માળીયામાં સતત વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને ખેડૂતોને નુકશાન થયું હોવાથી વળતર આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યના ખેતી નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના મોરબી અને માળીયા (મી.) તાલુકામાં સતત વરસાદ હતો જેથી કરીને પાક નિષ્ફળ ગયો છે માટે ખાસ કિસ્સામાં આ બંને તાલુકા માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે