મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ
મોરબીના કાલીકાનગર-લખધીરપુર સુધી સિટી બસ દોડાવવા રજૂઆત
SHARE
મોરબીના કાલીકાનગર-લખધીરપુર સુધી સિટી બસ દોડાવવા રજૂઆત
મોરબી પાલિકા દ્વારા લોકોની માટે સિટી બસ દોડાવવામાં આવી રહી છે અને આસપાસના ગામના લોકોને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી નજીકના કાલીકાનગર અને લખધીરપુર ગામને પણ સિટી બસની સેવાનો લાભ આપવામાં આવી રહયો છે ત્યારે બંને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે
મોરબીના કાલીકાનગર ગ્રામ પંચાયતના સરપંચ જયંતીલાલ ખેંગારભાઈ, માજી સરપંચ ત્રિભુવનભાઈ ભાલોડિયા તેમજ લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન પરમાર અને ઉપસરપંચ વિનોદભાઈ રબારીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ બન્ને ગામમાંથી વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં અપડાઉન કરે છે જેથી કરીને તેની સુવિધામાં વધારો કરવા માટે માંગ કરી છે જો સિટી બસ સેવાનો લાભ આપવામાં આવે તો બંને ગામના લોકોને ઘણો ફાયદો થશે