મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

હિન્દુઓની લાગણી દુભાવે તેવા ગીત રજૂ કરનાર કલાકારને હવે પાટીદાર નવરાત્રીના મંચ ઉપર ક્યારેય નહીં બોલાવું: અજય લોરીયા


SHARE









મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપરથી "જુમ્મે કી રાત હૈ અલ્લાહ બચાયે મુજે તેરે વાસ્તે" ગીતની રજૂઆત હિમેશ રેશમિયા દ્વારા કરવામાં આવી હતી જેને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી છે કે હિન્દુઓની લાગણી દુભાય તેવા ગીત રજૂ કરનાર કલાકારને તેઓ ક્યારે પણ પાટીદાર નવરાત્રીના મંચ ઉપર બોલાવશે નહીં

હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને છઠ્ઠા નોરતે મોરબીમાં રવાપર ગામમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જાણીતા સિંગર હિમેશ રેશમિયાને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જુદા જુદા હિન્દી ગીત લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે "જુમ્મે કી રાત હૈ અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" હિન્દી ફિલ્મનું ગીત છે તે રજૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણકે પાટીદાર નવરાત્રી મહોત્સવ એટલે કે નવરાત્રિના મંચ ઉપરથી આ ગીત રજૂ કરવામાં આવ્યુ છે જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુબઈ હોય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, મહામંત્રી કમલભાઇ દવે સહિતના આગેવાનો પાટીદાર નવરાત્રી મહોત્સવના પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને તેમણે આ ગીત ગાનારા કલાકારનો અને ગીતનો વિરોધ કર્યો હતો ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ પાર્ટી પ્લોટમાં હાજર રહેલા તમામ ખેલૈયાઓ સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી હતી કે હિન્દુ સમાજની લાગણી દુબઈ તેવા ગીત રજૂ કરનારા કલાકારોને હવે ક્યારેય પણ તેઓ પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપર લઈને આવશે નહીં 






Latest News