ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હિન્દુઓની લાગણી દુભાવે તેવા ગીત રજૂ કરનાર કલાકારને હવે પાટીદાર નવરાત્રીના મંચ ઉપર ક્યારેય નહીં બોલાવું: અજય લોરીયા


SHARE













મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપરથી "જુમ્મે કી રાત હૈ અલ્લાહ બચાયે મુજે તેરે વાસ્તે" ગીતની રજૂઆત હિમેશ રેશમિયા દ્વારા કરવામાં આવી હતી જેને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી છે કે હિન્દુઓની લાગણી દુભાય તેવા ગીત રજૂ કરનાર કલાકારને તેઓ ક્યારે પણ પાટીદાર નવરાત્રીના મંચ ઉપર બોલાવશે નહીં

હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને છઠ્ઠા નોરતે મોરબીમાં રવાપર ગામમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જાણીતા સિંગર હિમેશ રેશમિયાને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જુદા જુદા હિન્દી ગીત લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે "જુમ્મે કી રાત હૈ અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" હિન્દી ફિલ્મનું ગીત છે તે રજૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણકે પાટીદાર નવરાત્રી મહોત્સવ એટલે કે નવરાત્રિના મંચ ઉપરથી આ ગીત રજૂ કરવામાં આવ્યુ છે જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુબઈ હોય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, મહામંત્રી કમલભાઇ દવે સહિતના આગેવાનો પાટીદાર નવરાત્રી મહોત્સવના પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને તેમણે આ ગીત ગાનારા કલાકારનો અને ગીતનો વિરોધ કર્યો હતો ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ પાર્ટી પ્લોટમાં હાજર રહેલા તમામ ખેલૈયાઓ સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી હતી કે હિન્દુ સમાજની લાગણી દુબઈ તેવા ગીત રજૂ કરનારા કલાકારોને હવે ક્યારેય પણ તેઓ પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપર લઈને આવશે નહીં 






Latest News