મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

હિન્દુઓની લાગણી દુભાવે તેવા ગીત રજૂ કરનાર કલાકારને હવે પાટીદાર નવરાત્રીના મંચ ઉપર ક્યારેય નહીં બોલાવું: અજય લોરીયા


SHARE













મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપરથી "જુમ્મે કી રાત હૈ અલ્લાહ બચાયે મુજે તેરે વાસ્તે" ગીતની રજૂઆત હિમેશ રેશમિયા દ્વારા કરવામાં આવી હતી જેને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી છે કે હિન્દુઓની લાગણી દુભાય તેવા ગીત રજૂ કરનાર કલાકારને તેઓ ક્યારે પણ પાટીદાર નવરાત્રીના મંચ ઉપર બોલાવશે નહીં

હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને છઠ્ઠા નોરતે મોરબીમાં રવાપર ગામમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જાણીતા સિંગર હિમેશ રેશમિયાને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જુદા જુદા હિન્દી ગીત લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે "જુમ્મે કી રાત હૈ અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" હિન્દી ફિલ્મનું ગીત છે તે રજૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણકે પાટીદાર નવરાત્રી મહોત્સવ એટલે કે નવરાત્રિના મંચ ઉપરથી આ ગીત રજૂ કરવામાં આવ્યુ છે જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુબઈ હોય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, મહામંત્રી કમલભાઇ દવે સહિતના આગેવાનો પાટીદાર નવરાત્રી મહોત્સવના પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને તેમણે આ ગીત ગાનારા કલાકારનો અને ગીતનો વિરોધ કર્યો હતો ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ પાર્ટી પ્લોટમાં હાજર રહેલા તમામ ખેલૈયાઓ સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી હતી કે હિન્દુ સમાજની લાગણી દુબઈ તેવા ગીત રજૂ કરનારા કલાકારોને હવે ક્યારેય પણ તેઓ પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપર લઈને આવશે નહીં 






Latest News