મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાએ સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન
SHARE
મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાએ સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન
મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ – ભગીનીઓના ગ્રુપ પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાએ સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચતુવિર્ધ કાર્યક્રમમાં શિક્ષકોને પરિવાર સાથે હાજર રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે
સમાજમાં એકતા અને એકજુટતા આવે ‘હું નહિ પણ આપણે’ની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું દૈદીપ્યમાન આયોજન દશેરાના સપરમાં દિવસે પાટીદાર નવરાત્રી મહોત્સવ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે તા. ૫ ઓક્ટોબરના રોજ સાંજે ૪:૩૦ વાગ્યાથી પાટીદાર સમાજની રાજકીય, સામાજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતમાં યોજાશે. જેમાં તેજસ્વી તારલાઓને, તાજેતરમાં નિવૃત થયેલા શિક્ષકો તેમજ જિલ્લા અને રાજ્યકક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા પાટીદાર કર્મવિરોનું સન્માન કરવામાં આવશે આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા સહિત હાજર રહેશ