ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મીયાણાના વીર વિદરકા ગામે આવેલ માતાજીના મંદિર પાસે અગાઉ વેચેલ કળબના પૈસાની વૃદ્ધે માંગણી કરી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ બે શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના પંચવટી (ખીરઈ) ગામના રહેવાસી ભુદરભાઈ કાનજીભાઈ સુરાણી જાતે પટેલ (ઉંમર ૬૦) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ મલાભાઇ ભરવાડ તથા ઘોઘાભાઈ મલાભાઇ ભરવાડ રહે બંને વીરવિદરકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ અગાઉ રાજુભાઈ ભરવાડને વેચાતી કળબ આપી હતી જેના પૈસા લેવાના બાકી હોય પૈસાની માંગણી તેઓએ કરી હતી જે રાજુભાઈ ભરવાડને સારું નહીં લાગતા રાજુભાઈ ભરવાડ તથા ઘોઘાભાઈ ભરવાડ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભુદરભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા રાજુભાઈ ભરવાડે તેના હાથમાં પહેરેલ કળું ફરિયાદી વૃદ્ધને માથામાં માર્યું હતું અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભૂદરભાઈ કાનજીભાઈ સુરાણીએ રાજુભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ ભરવાડ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News