ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હેડફેટ લેતા યુવાનનું મોત


SHARE













મોરબીના ગાળા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હેડફેટ લેતા યુવાનનું મોત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જઈ રહેલા યુવાનના બાઈકને મોડીરાત્રીના કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં યુવાનનું મોત નિપજયુ હતુ.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતો સુરેશ શિવાભાઈ ઝિંઝુવાડીયા નામનો ૩૦ વર્ષનો કોળી યુવાન ગતરાત્રિના દસેક વાગ્યાના અરસામાં માળીયા હાઇવે ઉપર ગાળા અને ગુંગણ વચ્ચેથી બાઇક લઇને જતો હતો ત્યારે ગાળા ગામના પાટીયા નજીક તેના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફટે લેતા સુરેશભાઈ ઝીંઝવાડીયાને ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજયુ હતું અને તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અજમેરી દ્વારા હાઇવે ઉપરના સીસીટીવી ફુટેજો મેળવવાની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં આધેડને ઈજા

મોરબીના નીચી માંડલ ગામે રહેતા મુકેશભાઈ નાનજીભાઈ સિણોજીયા નામના ૫૧ વર્ષના આધેડ તા.૩૦-૯ ના સાંજના સાતેક વાગ્યે બજરંગ પાણીના પ્લાન્ટ નીચી માંડલ ગામ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા જમણા હાથે ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે જયેન્દ્રસિંહ વેલુભા ઝાલા નામના ૬૦ વર્ષના આધેડ ગામમાં શક્તિ માતાના મંદિર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અન્ય બાઇક સાથે તેમનું બાઇક અથડાતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

ફીનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર (રોટરીનગર) ગામે રહેતા નરસીભાઈ ભલાભાઇ ભંખોડીયા નામના ૨૯ વર્ષના યુવાને ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સીવીલે સારવારમાં લઇ જવાયો હતો અને હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબી તાલુકાના ખાનપર (નેસડા) ગામે રહેતા જેઠાભાઈ ઝીણાભાઈ સોલંકીને ખાનપર ગામના પુલ નજીક વાહન અકસ્માતમાં ઇજાઓ થવાથી તમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News