મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરતા હોવાની શંકા આધારે સમજાવવા ગયેલા યુવાન સહિત ત્રણને મારમાર્યો: સામસામે ફરિયાદ


SHARE









માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરતા હોવાની શંકા આધારે સમજાવવા ગયેલા યુવાન સહિત ત્રણને મારમાર્યો: સામસામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનના ભાભીનો પીછો કરતા હોવાની શંકા રાખીને એક શખ્સને સમજાવવા માટે થઈને ત્રણ વ્યક્તિઓ ગયા હતા ત્યારે તેને પાઇપ અને પથ્થર વડે માર માર્યો હતો અને બાદમાં બંને પક્ષેથી મારામારી થયેલ હોય ઇજાગ્રસ્તોને સારવારમાં લઈને ગયા હતા ત્યાર બાદ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયા જાતે કોળી (ઉમર ૩૫) એ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ મનસુખભાઈ ધોરકડિયા, સંજયભાઈ બીજલભાઇ સાકરીયા અને રમેશભાઈ વીરજીભાઈ ધોરકડીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ભાભીનો આરોપી મનીષ પીછો કરતો હોવાની તેઓને શંકા હતી જેથી તે બાબતે તેને સમજાવવા માટે થઈને ગયા હતા અને ત્યારે આરોપીએ તેની સાથે જપાજપી કરી હતી અને ત્યારે ફરિયાદી જયંતીભાઈ તેમજ કાંતિભાઈ અને અશોકભાઈને છૂટા પથ્થરના ઘા મારીને ઇજા કરી હતી તેમજ જયંતીભાઈને પાઇપ વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા જયંતીભાઈ અને કાંતિભાઈને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ જયંતીભાઈએ હાલમાં ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં મનીષભાઈ મનસુખભાઈ ધોરકડિયા (૨૪) એ હાલમાં જયંતીભાઈ સોમાભાઈ, અશોકભાઈ સોમાભાઈ અને કાંતિભાઈ ઉપાસરીયાની સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓને તેના ભાભીની છોકરીનો પીછો કરે છે તેવી શંકા હતી જેથી તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને તેમજ સાહેદોને લાકડી વડે માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા મનીષભાઈ સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મનીષભાઈએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News