મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરતા હોવાની શંકા આધારે સમજાવવા ગયેલા યુવાન સહિત ત્રણને મારમાર્યો: સામસામે ફરિયાદ


SHARE











માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરતા હોવાની શંકા આધારે સમજાવવા ગયેલા યુવાન સહિત ત્રણને મારમાર્યો: સામસામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનના ભાભીનો પીછો કરતા હોવાની શંકા રાખીને એક શખ્સને સમજાવવા માટે થઈને ત્રણ વ્યક્તિઓ ગયા હતા ત્યારે તેને પાઇપ અને પથ્થર વડે માર માર્યો હતો અને બાદમાં બંને પક્ષેથી મારામારી થયેલ હોય ઇજાગ્રસ્તોને સારવારમાં લઈને ગયા હતા ત્યાર બાદ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયા જાતે કોળી (ઉમર ૩૫) એ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ મનસુખભાઈ ધોરકડિયા, સંજયભાઈ બીજલભાઇ સાકરીયા અને રમેશભાઈ વીરજીભાઈ ધોરકડીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ભાભીનો આરોપી મનીષ પીછો કરતો હોવાની તેઓને શંકા હતી જેથી તે બાબતે તેને સમજાવવા માટે થઈને ગયા હતા અને ત્યારે આરોપીએ તેની સાથે જપાજપી કરી હતી અને ત્યારે ફરિયાદી જયંતીભાઈ તેમજ કાંતિભાઈ અને અશોકભાઈને છૂટા પથ્થરના ઘા મારીને ઇજા કરી હતી તેમજ જયંતીભાઈને પાઇપ વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા જયંતીભાઈ અને કાંતિભાઈને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ જયંતીભાઈએ હાલમાં ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં મનીષભાઈ મનસુખભાઈ ધોરકડિયા (૨૪) એ હાલમાં જયંતીભાઈ સોમાભાઈ, અશોકભાઈ સોમાભાઈ અને કાંતિભાઈ ઉપાસરીયાની સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓને તેના ભાભીની છોકરીનો પીછો કરે છે તેવી શંકા હતી જેથી તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને તેમજ સાહેદોને લાકડી વડે માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા મનીષભાઈ સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મનીષભાઈએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News