ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં આવેલ અબ્દુલભાઈની પાનની દુકાન પાસે ક્રિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર જાતે દેવીપુજક (૧૭) ઉભો હતો ત્યારે જાહેરમાં પ્રવીણભાઈ દેવજીભાઈ પરમાર, યુવરાજ ભાઈલાલ પરમાર અને સોહન ભુપતભાઈ પરમાર રહે. બધા છતર વાળા દુકાન પાસેથી બહેન દીકરીઓ નીકળતી હતી ત્યારે ગાળો બોલતા હતા જેથી કરીને યુવાને તેને ગાળો ન બોલવાનું કહ્યું હતું જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય શખ્સોએ યુવાનને છાતી, પેટ તેમજ માથાના ભાગે ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં આવેલ પાટીદાર પેપર મિલના મજુરના કવાર્ટરમાં ક્વોટરમાં રહેતા સંજુરાજ (ઉંમર ૨૬) નામના યુવાનનું બીમારી સબબ કવાર્ટરમાં મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મૃતકના મામા જયસંગભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News