મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં આવેલ અબ્દુલભાઈની પાનની દુકાન પાસે ક્રિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર જાતે દેવીપુજક (૧૭) ઉભો હતો ત્યારે જાહેરમાં પ્રવીણભાઈ દેવજીભાઈ પરમાર, યુવરાજ ભાઈલાલ પરમાર અને સોહન ભુપતભાઈ પરમાર રહે. બધા છતર વાળા દુકાન પાસેથી બહેન દીકરીઓ નીકળતી હતી ત્યારે ગાળો બોલતા હતા જેથી કરીને યુવાને તેને ગાળો ન બોલવાનું કહ્યું હતું જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય શખ્સોએ યુવાનને છાતી, પેટ તેમજ માથાના ભાગે ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં આવેલ પાટીદાર પેપર મિલના મજુરના કવાર્ટરમાં ક્વોટરમાં રહેતા સંજુરાજ (ઉંમર ૨૬) નામના યુવાનનું બીમારી સબબ કવાર્ટરમાં મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મૃતકના મામા જયસંગભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News