મોરબીમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન
વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ
SHARE
વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ
વાંકાનેર તાલુકાનાં ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે ભારતીય કિસાન સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જીલેશભાઇની આગેવાનીમાં ભારતીય કિસાન સંઘના વાંકાનેર તાલુકાનાં પ્રમુખ વાસુદેવસિંહ આર. ઝાલા અને મંત્રી મનુભાઇ ઝાલા સહિતના ખેડૂતો દ્વારા વીજ કંપનીના કાર્યપાલકને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જણાવ્યુ છે કે, તે ગામની સીમ નજીક ફોરેસ્ટની હદ આવે છે જેથી કરીને દીપડાની રંજાળ બહુ જ હોવાથી ખેડુતને રાત્રીના સમયમાં ખેતર જવાથી દિપડાનો ડર રહે છે અને ખેડુતને જીવનું જોખમ છે જેથી કરીને ફોરેસ્ટ વાળાએ દિપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું જો કે, દીપડો પકડાયો નથી ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરી છે