મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન
SHARE
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ ડી.જે.ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવા માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આવવા માટે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે
મોરબીમાં બ્રહ્મ પરિવારો માટે સરદાર બાગ શનાળા રોડ સામે આવેલ દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદપુનમની રઢિયાળી રાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી કમલભાઇ દવે અને ધ્વનીતભાઈ દવેએ જણાવ્યુ છે કે, ભૂદેવ પરિવાર માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા ૯/૧૦ ના રોજ રાતે આઠ વાગ્યે દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવ રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભૂદેવ પરિવારોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે આ શરદોત્સવને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મવિકાસ પરિષદ, પરશુરામ ધામ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, બ્રહ્મપૂરી પરિવાર, અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઑના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે









