લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ મહોત્સવમાં બાળાઓને પ્રોત્સાહીત કરવામાં આવી
મોરબીની સંકલ્પ નવરાત્રીમાં દિવ્યાંગ બાળકોના હસ્તે મહાઆરતી યોજાઇ
SHARE
મોરબીની સંકલ્પ નવરાત્રીમાં દિવ્યાંગ બાળકોના હસ્તે મહાઆરતી યોજાઇ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠમા નોરતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગ બાળકો અને તેના માતા-પિતાને હસ્તે આ મહાઆરતી કરવામાં આવી હતી
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. અને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, આઠ દિવસથી ખૈલૈયાઓ રમી રહ્યા છે તો પણ થાકનો અણસાર તેઓમાં દેખાતો નથી. અને દરેક સમાજની નાની મોટી દીકરીઓ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવવી છે જેથી લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આઠમના દિવસે યોજાયેલ મહાઆરતીમાં દિવ્યાંગ બાળકોની માતાજી મનોશક્તિ મજબૂત બનાવે તેવા હેતુથી દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતાને બોલાવીને તેના હસ્તે આરતી કરવામાં આવી હતી ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા, મોરબી સીરામીક એસ.ના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, માતૃવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, કાંતિકારી સેનાના રાધે પટેલ, ડો.સનારિયા, ડો. માલાસણા, ડો. ગોપાણી અને ડૉ. હિતેશ પટેલ સહિતનાએ હાજરી આપી હતી