મોરબીની સાધુ વાસવાણી સોસાયટીની ગરબીમાં આરતીનો મંત્રીએ લાભ લીધો
માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી
SHARE
માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી
મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના રહેવાસી અને કોંગ્રેસના યુવા આગેવાન કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની હાલમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી ખેડૂતો સહિતના ગ્રામજનો તરફથી તેઓ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે
મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના રહેવાસી અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની તાજેતરમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, ચોમાસા દરમિયાન વધુ કે ઓછો વરસાદ પડવાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવા માટે અને રવિ પાક સમયે તેમજ ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવા માટે જ્યારે કેનાલમાં પાણી ન આવતું હોય ત્યારે ખેડૂતોને પાણી મળે તે હેતુથી અગાઉ કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા અનેક વખત પરિણામ લક્ષી આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી છે જેને ધ્યાને લઈને ખેડૂતલક્ષી કામગીરી કરનારા યુવા આગેવાનને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે