મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી


SHARE









માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના રહેવાસી અને કોંગ્રેસના યુવા આગેવાન કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની હાલમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી ખેડૂતો સહિતના ગ્રામજનો તરફથી તેઓ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના રહેવાસી અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની તાજેતરમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, ચોમાસા દરમિયાન વધુ કે ઓછો વરસાદ પડવાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવા માટે અને રવિ પાક સમયે તેમજ ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવા માટે જ્યારે કેનાલમાં પાણી ન આવતું હોય ત્યારે ખેડૂતોને પાણી મળે તે હેતુથી અગાઉ કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા અનેક વખત પરિણામ લક્ષી આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી છે જેને ધ્યાને લઈને ખેડૂતલક્ષી કામગીરી કરનારા યુવા આગેવાનને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે






Latest News