મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી


SHARE







માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના રહેવાસી અને કોંગ્રેસના યુવા આગેવાન કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની હાલમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી ખેડૂતો સહિતના ગ્રામજનો તરફથી તેઓ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના રહેવાસી અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની તાજેતરમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, ચોમાસા દરમિયાન વધુ કે ઓછો વરસાદ પડવાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવા માટે અને રવિ પાક સમયે તેમજ ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવા માટે જ્યારે કેનાલમાં પાણી ન આવતું હોય ત્યારે ખેડૂતોને પાણી મળે તે હેતુથી અગાઉ કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા અનેક વખત પરિણામ લક્ષી આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી છે જેને ધ્યાને લઈને ખેડૂતલક્ષી કામગીરી કરનારા યુવા આગેવાનને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે






Latest News