મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર બાર એસો.ની મુલાકાત લીધી


SHARE







બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર બાર એસો.ની મુલાકાત લીધી

(શાહરૂખ ચૌહાણ) વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા વાંકાનેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાર એસો.ની શુભેચ્છા મુલાકાત દરમિયાન વાંકાનેર બાર એસો.  સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો અને વકીલમિત્રો હાજર રહ્યા હતા અને ખાસ કરીને ત્યારે વાંકાનેર બાર એસો.ના પ્રશ્નો સાંભળીને તેનો ઝડપથી નિકાલ થશે તેવી ખાતરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અનિરુસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી આ તકે વકીલ એફ.એમ.બ્લોચ, એચ.એમ શેખ, રજનીબા રાણા, આઈ.જે. દોલપાત્રા, એમ.કે. વોરા, જે.એચ. મકવાણા, નોટરી એન્ડ વકીલ વી.એન. શેરસીયા, અંજનાબેન રાઠોડ, કપિલ ઉપાધ્યાય, રેવન્યુ બારના પ્રમુખ વિશાલભાઈ પટેલ,  સેક્રેટરી નીરવભાઈ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ, વાંકાનેર શહેર ભાજપ લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા સહિતના હાજર રહ્યા હતા અને વાંકાનેર બાર એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું






Latest News