મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીથી અણીયારી સુધીનો જેતપર રોડ ૧૪૧.૦૮ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાનો શુભારંભ


SHARE













મોરબીથી અણીયારી સુધીનો જેતપર રોડ ૧૪૧.૦૮ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાનો શુભારંભ

મોરબી સિરામીકના હબ સમા મોરબીથી જેતપર અણીયારી રોડ ફોર લાઈન બનાવવાની મોરબી વાસીઓની ઘણા સમયથી માંગ હતી. મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના રાજકીય આગેવાનોના પ્રયત્નો અને માર્ગ અને મકાન વિભાગ સહિત વહીવટી તંત્રની સતત કાર્યશીલતા ના પગલે આ માંગને મંજૂરીની મહોર લાગી ગઈ છે. મોરબી વાસીઓ માટે ખુશીના સમાચાર છે કે, આ રોડને ફોર લાઈન બનાવવાની કામગીરીનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. આ રોડનું નિર્માણ થતાં આ રસ્તા પર થતું પરિવહન સુગમ બનશે. આ રસ્તા પર મુખ્યત્વે સિરામીક ઉદ્યોગને લગતું વાહનવ્યવહાર વધુ થાય છે ત્યારે સિરામીકની સુવિધામાં પણ વધારો થશે.

વધુ માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી કે.એન.ઝાલાએ જણાવ્યું હતું કે, કુલ ૨૪.૩ કિમીના આ રસ્તાના ફોર લેન કામગીરી માટે  તા.૨૮-૦૯-૨૦૨૨ રૂ.૧૪૧.૦૮ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે,    કી.મી. ૩/૨ થી ૨૭/૫૦ વચ્ચે કૂલ ૨૪.૩ કીમી. પૈકી ૪.૩૮૫ કી.મી. ને હયાત ૧૦.૦ મી. પહોળા રસ્તા માંથી ચાર માર્ગિય ડામર સપાટી તથા ૧૪.૪૪૦ કીમી ને ચાર માર્ગિય સિમેન્ટ કોંક્રીટ સપાટી કરવાની કામગીરી કરવાની થાય છે. ૦.૯૦ કીમીમાં હયાત સી.સી. રોડ પર ઓવરલે કરવાની અને ૪.૬૨૫ કીમી રસ્તાને હયાત ૧૦ મી. ડામર સપાટી વાળા રસ્તાના સ્થાને ૧૦ મી. પહોળ સિમેન્ટ કોંક્રીટ સપાટી વાળો રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવશે. આ રસ્તામાં કુલ ૧૭ નાળાનું નિર્માણ કરવામાં આવશે જે પૈકી ૮ નવા નાળા અને ૯ હયાત નાળાને પહોળા કરવાની કામગીરી કરવામાં આવનાર છે. કૂલ ૨૦૮૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ કરવામાં આવશે. આમ, સર્વોત્તમ સુવિધા સાથે રસ્તાનું નિર્માણ થતાં મોરબીના પરિવહન સુવિધામાં વધારો થશે.






Latest News