મોરબીથી અણીયારી સુધીનો જેતપર રોડ ૧૪૧.૦૮ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાનો શુભારંભ
મોરબીમાં કાલે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું રાહત દરે વેચાણ
SHARE
મોરબીમાં કાલે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું રાહત દરે વેચાણ
મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તા. ૯ ના રોજ સવારે ૯ થી ૧ સુધી નેચરલ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવા માટેનું આયોજન કર્યું છે અને શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રાહત દરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. અહિયાં લોકોને હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે વસ્તુઓનું વેચાણ રાહત દરે કરાશે. આ વેચાણ કેન્દ્રની મુલાકાત લેવા મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવાયું છે