મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
SHARE
મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહ્યા હતા અને ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞ યોજાયો હતો જેમાં યજમાન તરીકે મૂળ બિલિયાના રહેવાસી અને હાલમાં જામનગર રહેતા સુરેશચંદ્ર અનંતરાય ભટ્ટના બંને દીકરા બેઠા હતા અને યજ્ઞની ધાર્મિક વિધિ શાસ્ત્રી તેજશભાઇ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવી હતી અને આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ, જે.પી.ભટૃ, દિનેશભાઇ ભટ્ટ સહિતાઓ ભટ્ટ પરિવારના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી









