મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો: સમાજના નવ નવા ટ્રસ્ટી બન્યા  


SHARE









મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો: સમાજના નવ નવા ટ્રસ્ટી બન્યા  

દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારા શરદ પુનમના દિવસે સમાજના દીકરી અને બહેનો માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના બહેન દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી અને રાસ ગરબાના આ કાર્યક્રમમાં જે બહેન દીકરીઓ દ્વારા સારી રીતે પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતુ તેને વેલ ડ્રેસવેલ સ્ટાઇલવેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે શરદોત્સવના મુખ્ય સ્પોન્સર જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા તેમજ દેવા સોલ્ટ પરિવારના પ્રતિનિધિ સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબીમાં રાજપૂત સમાજના ટ્રસ્ટનાં ટ્રસ્ટી બનાવા માટે ૧૧ લાખ રૂપિયા સમાજમાં આપવાની નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ તકે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા (આદેપર)મ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (વીરપરડા), મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર), કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા (વઘાસિયા), દિલીપસિંહ જીવુભા ઝાલા (જૂના સદુકા), મેઘરાજસિંહ નરભેસિંહ ઝાલા (રંગપર), નરવીરસિંહ વિજયભાઈ ઝાલા (રંગપર), રઘુવીરસિંહ ઝાલા (મોટા ખીજડીયા) અને નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (વધારવા)એ સમાજના ટ્રસ્ટમાં ૧૧-૧૧ લાખ રૂપિયા આઈને ટ્રસ્ટી બનેલ છે અને શરદોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલામહામંત્રી મહાવીરસિંહ જાડેજામાજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાજયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી






Latest News