મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો: સમાજના નવ નવા ટ્રસ્ટી બન્યા  


SHARE















મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો: સમાજના નવ નવા ટ્રસ્ટી બન્યા  

દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારા શરદ પુનમના દિવસે સમાજના દીકરી અને બહેનો માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના બહેન દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી અને રાસ ગરબાના આ કાર્યક્રમમાં જે બહેન દીકરીઓ દ્વારા સારી રીતે પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતુ તેને વેલ ડ્રેસવેલ સ્ટાઇલવેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે શરદોત્સવના મુખ્ય સ્પોન્સર જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા તેમજ દેવા સોલ્ટ પરિવારના પ્રતિનિધિ સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબીમાં રાજપૂત સમાજના ટ્રસ્ટનાં ટ્રસ્ટી બનાવા માટે ૧૧ લાખ રૂપિયા સમાજમાં આપવાની નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ તકે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા (આદેપર)મ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (વીરપરડા), મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર), કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા (વઘાસિયા), દિલીપસિંહ જીવુભા ઝાલા (જૂના સદુકા), મેઘરાજસિંહ નરભેસિંહ ઝાલા (રંગપર), નરવીરસિંહ વિજયભાઈ ઝાલા (રંગપર), રઘુવીરસિંહ ઝાલા (મોટા ખીજડીયા) અને નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (વધારવા)એ સમાજના ટ્રસ્ટમાં ૧૧-૧૧ લાખ રૂપિયા આઈને ટ્રસ્ટી બનેલ છે અને શરદોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલામહામંત્રી મહાવીરસિંહ જાડેજામાજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાજયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી






Latest News