મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારો માટે ભવ્ય શરદોત્સવ યોજાયો
મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે હવન યોજાયો: ટ્રસ્ટના પ્રમુખ પદે રઘુવીરસિંહ ઝાલાની વરણી
SHARE
મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે હવન યોજાયો: ટ્રસ્ટના પ્રમુખ પદે રઘુવીરસિંહ ઝાલાની વરણી
મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞ વિગેરેનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન પદે સાવજસિંહ નરવીરસિંહ ઝાલા (રંગપર), ભાગીરથસિંહ રૂપસિંહ ઝાલા (મોટા ખીજડીયા) અને પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ ઝાલા (નાની વાવડી) બેઠા હતા અને હવન-યજ્ઞાદિનો કાર્યક્ર્મ યોજાયો હતો અને દરવર્ષની જેમ સભા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ.કે. જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે સમાજના ભાઈઓ બહેનો માતાજીના દર્શન, હવનના દર્શનનો લાભ લીધો હતો અને આદ્ય શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદે સર્વાનુમતે મૂળ ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના રહેવાસી રઘુવીરસિંહ કરણસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે અને હાલના કાર્યક્રને સફળ બનાવવા માટે સંસ્થાના વર્તમાન પ્રમુખ બાપાલાલસિંહ જે. ઝાલા (રતનપર), ઉપપ્રમુખ લાલુભા બી. ઝાલા (કેરાળા) અને મંત્રી યુવરાજસિંહ ડી. ઝાલા (શકત શનાળા) સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી