માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

ટંકારામાં ફાસ્ટફૂડ-દુધની બનાવટના ચેકિંગ કોણ કરશે ?


SHARE













ટંકારામાં ફાસ્ટફૂડ-દુધની બનાવટના ચેકિંગ કોણ કરશે ?

ટંકારામાં ફાસ્ટફૂડ અને દુધની બનાવટમાં ઝેરી કેમિકલતો નથી પિરસાતુને ? તે જોવાની જવાબદારી કોની છે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે ત્યારે નિયમોને ખુલ્લે આમ કોરણે મુકીને જે રીતે ધંધો કરવામાં આવે છે તે લોકોના સ્વથ્યય સાથે ચેડા કરવા જેવી ગંભીર બાબત છે 

મહાનગરોમાં વખતો વખત આરોગ્ય વિભાગની ટીમ અને ભેળસેળ વિભાગ સહિતના અન્ય અધિકારીઓ દુધ દહી કવર યુક્ત ચટણી બેકરી ડેરી અને રોડ રસ્તે લારી ગલ્લા પર નિયમોને નેવે મૂકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નાના મોટા ધંધાથી ઉપર તવાઈ બોલાવી છે અને ધણુ ખરુ ખોટુ ખરાબ સામે આવતુ પણ રહે છે. ત્યારે ટંકારામા ખુલ્લે આમ જન આરોગ્ય સાથે ચેડા થતા હોય ફ્રુડ લાઈસન્સ કે કોઈ મંજુરી વિના એક પણ નિયમોને પાલન ન કરી સ્વાદનો ધિધ્ધકતો ધંધો ફુલયો ફાલયો છે. ટંકારામાં રંગબેરંગી ચટણી, પાણી, તેલ, લોટ, મસાલો, લચ્છી, દુધની આઈટમો સહિતના વેચાણકરતા કેટલુ ખરૂ ખોટુ કરૈ છે એની ખબર તો જવાબદાર તંત્ર આળસ ખંખેરી ઉભા થાય તો ખબર પડે આ માટે જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કક્ષાએ રજુઆત કરી છે.

ટંકારા નગરપાલિકા હોત તો સમયાંતરે આરોગ્ય સાથે ચેડા કરનારને પકડી શક્યા હોત.  સ્વભાવિક પ્રમાણે ટંકારા નગરપાલિકા ન હોય એનો અનેક રીતે ખામયાઝો શહેરીજનો ભોગવી રહ્યા છે એમાનો એક આ આરોગ્ય સાથે ચેડા નો પણ છે જો અહી નગરપાલિકા બને તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અને વખતો વખત ચકાસણી થાય જેથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ટાળી શકાય. તોલમાપ ખાતાના અધિકારીઓ પણ વજન મળી જતા પોબારા ભણી મુકે છે? સામાન્ય રીતે પ્રતી વર્ષ વજન ઓછું અદકુ આવે છે કે કેમ એ માટે માપક યંત્રની યોગ્યતા અને ક્ષમતા નુ ચકાસણી કરવી ફરજિયાત છે એ માટે ખાનગી કોન્ટ્રેક્ટરો પણ હોય છે પરંતુ બધુ સહિ સલામત હોવાનો રાગ આલાપતા અધિકારીઓને વજન મળી જતુ હોવાનુ ખુદ વેપારી મિત્રો કહી રહા છે.






Latest News