મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી શહેરના સનાળ રોડ ઉપર મહેશ હોટલની સામેના ભાગમાં આવેલ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરવા જતાં અકસ્માતે આગ લાગી હતી ત્યારે આખા શરીરે યુવાન દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસમાં કામગીરી દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એ.જે. કંપની પાછળ રાજબેક વાળી શેરીમાં રહેતો અજય નાયક (૩૦) નામનો યુવાન ગત તા. ૨/૧૦ ના રોજ દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોના કહેવા મુજબ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટેની કામગીરી દરમિયાન ગેસ ચાલુ કરવા જતા સમયે અકસ્માતે આગ લાગતા અજય નાયક આખા શરીરે દાજી ગયો હતો અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા નવલસીંગ ટુટીયા જાતે તહેજ (૪૦) દેવાયતભાઈ આહીરના ખેતરથી પાછા ચાલીને નાગડાવાસ ગામ તરફ આવતા હતા ત્યારે સાડા નવ વાગ્યાના અરસામાં ગામના પાદરમાં તેને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News