મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી શહેરના સનાળ રોડ ઉપર મહેશ હોટલની સામેના ભાગમાં આવેલ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરવા જતાં અકસ્માતે આગ લાગી હતી ત્યારે આખા શરીરે યુવાન દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસમાં કામગીરી દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એ.જે. કંપની પાછળ રાજબેક વાળી શેરીમાં રહેતો અજય નાયક (૩૦) નામનો યુવાન ગત તા. ૨/૧૦ ના રોજ દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોના કહેવા મુજબ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટેની કામગીરી દરમિયાન ગેસ ચાલુ કરવા જતા સમયે અકસ્માતે આગ લાગતા અજય નાયક આખા શરીરે દાજી ગયો હતો અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા નવલસીંગ ટુટીયા જાતે તહેજ (૪૦) દેવાયતભાઈ આહીરના ખેતરથી પાછા ચાલીને નાગડાવાસ ગામ તરફ આવતા હતા ત્યારે સાડા નવ વાગ્યાના અરસામાં ગામના પાદરમાં તેને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News