હળવદમાં પોલીસ લાઈનની બાજુમાં વૃદ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની સામે ગુનો નોંધાયો
મોરબીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી યુવા પરીવર્તન યાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી યુવા પરીવર્તન યાત્રા યોજાઇ
આગમી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાનોને જાગૃત કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે ગુરૂવારે મોરબીમાં ભક્તિનગર સર્કલથી લઈને રામાધન આશ્રમ સુધીની યુવા પરીવર્તન યાત્રા યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મનોજભાઇ પનારા, મોરબી જિલ્લા બક્ષિપંચ વિભાગના પ્રમુખ રાજુભાઇ આહીર, કિશોરભાઇ ચિખલિયા, મુકેશભાઇ ગામી, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયા, રાજુભાઇ કાવર, કે.ડી.પડસુંબિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતનભાઈ રાજ્યગુરુ, દિલીપભાઇ સરડવા, કુલદીપસિંહ જાડેજા, હસુભાઈ પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા, અભિરાજસિંહ ઝાલા, ભાવેશભાઈ સાવરીયા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં પરીવર્તન યાત્રા યોજાઇ હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી કોંગ્રેસની યાત્રા નીકળી હતી ત્યારે તેને ઠેરઠેર આવકારવામાં આવી હતી અને આ યાત્રા મોરબીથી હળવદ બાજુ આગળ વધી હતી









