મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા યુવાનનું મોત


SHARE









મોરબીના મકનસર પાસે અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે વીસ નાલા પુલ નજીક અજાણ્યા વાહન ચાલકે યુવાને હડફેટ લીધો હતો અને યુવાન ઉપરથી અજાણ્યાના તોતિંગ ટાયર ફેરવી દીધા હતા જેથી તેને માથામાં અને શરીરને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને આરોપી વાહન લઈને નાશી ગયેલ છે જેથી મૃતકના ભાઈની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલમાં મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્રના રહેવાસી સંઘપાલ ઉર્ફે સંદીપ દાદારાવ વાકોડે એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, તેનો કાકાનો દીકરો મનોજ અશોકભાઈ વાકોડે ચાર દિવસ પહેલા સિક્યુરિટી તરીકે નોકરી કરવા માટે આવ્યો હતો અને ઓમ સિક્યુરિટીમા નોકરી કરીને ઘરે જવાની વાતો કરતો હોય ગઈકાલે બપોરના સમયે ઘરે જવા માટે નીકળ્યો હતો દરમિયાન રાત્રીના તેના ગામના દયારામ ભાઈ હરિચંદ્ર બસીરેનોએ તેને ફોન કર્યો હતો કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે વીસ નાલા પુલ નજીક અજાણ્યા વાહન ચાલકના વાહનના તોતિંગ ટાયર તેના કાકાના દીકરા મનોજભાઈના માથા અને શરીર ઉપરથી ફરી વળ્યાં હોય તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટના સ્થળેથી નાશી ગયેલ હોય તેની સામે મૃતકના કૌટુંબિક ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News