હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ


SHARE













મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ

ગુજરાત ગૌરવ યાત્રા'નું સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ 'ગુજરાત ગૌરવ યાત્રા'નું પ્રસ્થાન દ્વારકાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગઇકાલે પ્રારંભ કરાવ્યો હતો જે યાત્રા મોરબી જીલ્લામાં આવી રહી છે અને મોરબી, વાંકાનેર તેમજ હળવદમાં કેન્દ્રના બે મંત્રીની હાજરીમાં સભાઓ યોજવાની છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 'ગુજરાત ગૌરવ યાત્રા' શરૂ કરવી છે જે પડધરી તાલુકામાંથી મોરબી જીલ્લામાં આવશે અને ટંકારા, લજાઈ, વાંકાનેર, ઢુવા, મકનસર, લીલપર, રવાપર, મોરબી, મહેન્દ્રનગર, ચરાડવા અને હળવદ સુધી આ 'ગુજરાત ગૌરવ યાત્રા' જવાની છે ત્યારે આ યાત્રા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મહામંત્રી જયુભાઈ જાડેજા સહિતની ટિમ દ્વારા જાહેમત ઉઠાવવામાં આવી રહી છે

મોરબી શહેરમાં 'ગુજરાત ગૌરવ યાત્રા' આવશે તેના ભવ્ય સ્વાગત માટે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કાલે મોરબીમાં રવાપર રોડ, ગાંધીચોક, નહેરૂ ગેઇટ ચોક થઈને યાત્રા સામાકાંઠે જવાની છે અને ત્યારે નહેરૂ ગેઇટ ચોકમાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને પિયુષ ગોયેલ હાજર રહેવાના છે અને તેની હાજરીમાં મોરબી, વાંકાનેર અને હળવદમાં સભાઓ પણ યોજવાની છે જેમાં મોરબી ખાતે સાંજે ચાર વાગ્યે નહેરૂ ગેઇટ ચોકમાં સભા યોજાશે






Latest News