ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ


SHARE













મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ

ગુજરાત ગૌરવ યાત્રા'નું સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ 'ગુજરાત ગૌરવ યાત્રા'નું પ્રસ્થાન દ્વારકાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગઇકાલે પ્રારંભ કરાવ્યો હતો જે યાત્રા મોરબી જીલ્લામાં આવી રહી છે અને મોરબી, વાંકાનેર તેમજ હળવદમાં કેન્દ્રના બે મંત્રીની હાજરીમાં સભાઓ યોજવાની છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 'ગુજરાત ગૌરવ યાત્રા' શરૂ કરવી છે જે પડધરી તાલુકામાંથી મોરબી જીલ્લામાં આવશે અને ટંકારા, લજાઈ, વાંકાનેર, ઢુવા, મકનસર, લીલપર, રવાપર, મોરબી, મહેન્દ્રનગર, ચરાડવા અને હળવદ સુધી આ 'ગુજરાત ગૌરવ યાત્રા' જવાની છે ત્યારે આ યાત્રા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મહામંત્રી જયુભાઈ જાડેજા સહિતની ટિમ દ્વારા જાહેમત ઉઠાવવામાં આવી રહી છે

મોરબી શહેરમાં 'ગુજરાત ગૌરવ યાત્રા' આવશે તેના ભવ્ય સ્વાગત માટે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કાલે મોરબીમાં રવાપર રોડ, ગાંધીચોક, નહેરૂ ગેઇટ ચોક થઈને યાત્રા સામાકાંઠે જવાની છે અને ત્યારે નહેરૂ ગેઇટ ચોકમાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને પિયુષ ગોયેલ હાજર રહેવાના છે અને તેની હાજરીમાં મોરબી, વાંકાનેર અને હળવદમાં સભાઓ પણ યોજવાની છે જેમાં મોરબી ખાતે સાંજે ચાર વાગ્યે નહેરૂ ગેઇટ ચોકમાં સભા યોજાશે






Latest News