ટંકારાના નાના રામપર ગામેથી મોરબી દવા લેવા માટે આવેલ વૃદ્ધ ગુમ
વાંકાનેરના ઢુવા પાસે નાલામાં પડી જતાં રાજકોટના યુવાનનું મૃત્યુ
SHARE
વાંકાનેરના ઢુવા પાસે નાલામાં પડી જતાં રાજકોટના યુવાનનું મૃત્યુ
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સર્કલ નજીક વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઇડમાં નાલા મૂકવામાં આવેલ છે તે નાલામાં પડી જવાથી અને પાણીમાં ડૂબી જવાથી રાજકોટના આજીડેમ પાસે વેલનાથપરામા રહેતા યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડાયેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઇડમાં નાલા મૂકવામાં આવેલ છે તે નાલામાં પડી જવાથી અજયભાઈ મુનાભાઈ ફિચડિયા જાતે કોળી (૩૬) નામના યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક મૂળ સજ્જનપર ગામના રહેવાસી છે અને હાલમાં રાજકોટ રહે છે તે પોતાના ભાઈની સાથે ઢુવા ચોકડી પાસે આવ્યો હતો અને ત્યારે બનેલા બનાવમાં આ યુવાનનું મોત નીપજયું છે
ઝેરી દવા પી લીધી
વાંકાનેર તાલુકાનાં રાજાવડલા ગામે રહેતો રમેશભાઈ માવજીભાઇ ચાવડા (૪૦) નામનો યુવાન કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
ઝેરી દવા પી લીધી
મોરબીના રંગપર ગામ પાસે આવેલ સત્યમ કાંટા નજીક રહેતા મુકેશભાઇ ખોડાભાઈ ડાભી નામનો યુવાનઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે